હિન્દુ મરણ
ઝાલાવાડી સુઈ સુતાર
રામપુરા ભંકોડા હાલ કાંદિવલી સ્વ. હરગોવિંદદાસ તથા સ્વ. કપિલાબેન હ. સોલંકીના પુત્ર અનિલ સોલંકી તા. ૨૭-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે અ. સૌ. નીતાબેનના પતિ તથા કૌશલ, બ્રિંદાના પિતા. કૃપા, ઋષભના સસરા. સ્વ. નરેન્દ્રભાઈ, પરિમલભાઈ, અ. સૌ. હર્ષાબેન, અતુલાબેન, ગં. સ્વ. અનીતાબેનના ભાઈ તથા સ્વ. પદમાબેન પોપટલાલ જોષીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧-૧૨-૨૨ના સાંજના ૪ થી ૬. ઠે: શ્રી હાલાઈ લોહાણા બાલાશ્રમ હોલ, ગ્રાઉન્ડ ફલોર, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્સટેશન રોડ, કાંદિવલી વેસ્ટ.
કચ્છી ભાટીયા
હેમંત મૂલસિંહ ભાટીયા (ઉં. વ. ૬૨) તે સ્વ. મૂલસિંહ કરસનદાસ તથા સ્વ. તારા મૂલસિંહ ઠક્કરના પુત્ર. તે પ્રીતિ ભાટીયાના પતિ. તે હેતા ભાટીયાના પિતા. તે સ્વ. મૂલરાજ તથા સ્વ. રજની મરચન્ટના જમાઈ. તે સ્વ. શાંતુ ભાટીયા તથા ઉષા શાંતુના ભત્રીજી, તે રાજેન ભાટીયા તથા પારૂલ ભાટીયાના ભાઈ. તા. ૩૦-૧૧-૨૨ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૧૧-૨૨ને શુક્રવારે રાખેલ છે. સ્થળ: સોફિયા ભાભા હોલ, બ્રીચકેન્ડી, ખંબાલા હીલ, રેમન્ડ શોરૂમની બાજુમાં, સોફિયા કેમ્પ્સ, ભુલાભાઈ દેસાઈ રોડ, મુંબઈ-૪૦૦૦૨૬. સાંજના ૪.૩૦ થી ૬.૩૦.
સૂરત વડનગરા નાગર બ્રાહ્મણ
હિમાંશુ ત્રિવેદી (ઉં. વ. ૭૫) તે સ્વ. ભૂપેન્દ્ર તથા સ્વ. અનસૂયાના પુત્ર. ભાવનાના પતિ. નીરજાના પિતા. ભદ્રાંશુ તથા મુકુલના ભાઈ તા. ૨૭-૧૨-૨૨ના હાટકેશશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩-૧૨-૨૨ના સાંજે ૫ થી ૬. રોટરી સર્વિસ ટ્રસ્ટ સેન્ટર, ગ્રાઉન્ડ ફલોર, રોટરી ચોક, જુહુ-તારા રોડ, સાંતાક્રુઝ વેસ્ટ.
દશા મોઢ માંડલિયા વણિક
સરસીયા નિવાસી હાલ અમેરિકા ચીમનલાલ હરિલાલ મુછાળા (ઉં. વ. ૭૨) શનિવાર, તા. ૨૬-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. છબીલભાઈ, પ્રવિણાબેન તથા ભાનુબેનના ભાઈ. સગુણાબેનના દિયર. નીલેશ, અભય તથા અર્પણાના કાકા. પિયર પક્ષે સ્વ. જસવંતરાય રતિલાલ નાણાવટીના જમાઈ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
ભડીયાદ નિવાસી હાલ ઘાટકોપર રતિલાલ મુળજીભાઈ ચૌહાણ (ઉં.વ. ૮૨) તે ૨૭/૧૧/૨૨ના સ્વર્ગવાસ પામેલ છે. તે મધુબેનના પતિ. સ્વ. મગનભાઈ, સ્વ. પ્રેમજીભાઈ, ચંદ્રકાન્તભાઈ, હરિભાઈ, સ્વ. મંગુબેન હરગોવિંદભાઈ મકવાણાના ભાઈ. કિરીટ, નિર્મલ, નીતા સુભાષ સોલંકી, ડિમ્પલ અતુલકુમાર સોલંકીના પિતા. પ્રેમજીભાઈ ચતુરદાસ પાટડીયાના જમાઈ. પૂર્ણિમા, તન્વીના સસરા. પ્રાર્થનાસભા ૧/૧૨/૨૨ના ૪ થી ૬ કલાકે પાટીદારવાડી, રોઆ હોટલની બાજુમાં, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર વેસ્ટ.
દેલવાડા મોઢ વણિક
સ્વ. કમળાવંતી તથા સ્વ. જયંતીલાલ જુઠાભાઇ શાહના પુત્ર હરેશભાઇ તે નીતાબેનના પતિ. હિતેન્દ્ર તથા નીતા સતીશ પરીખના ભાઈ. છાયાના દિયર, બિહારીલાલ ચત્રભુજ પરીખના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર
બંધ છે.
પરજીયા સોની
થોરડીવાળા હાલ વડોદરા રમેશભાઈ વ્રજલાલ ભાણજી ધકાણ (ઉં.વ. ૭૦) તે ચંદ્રકાન્તના મોટાભાઈ. રેખાબેનના પતિ. ભૈરવી (જસ્મીન)ના પિતા. ભાર્ગવ (જીગર)ના સસરા. મોટાદડવા નિવાસી સ્વ. બાબુલાલ તુલસીદાસ ચલ્લાના જમાઈ. ૨૭/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
પાલીતાણા હાલ મલાડ પ્રવિણચંદ્ર વનમાળીદાસ ગાંધીના ધર્મપત્ની અ.સૌ. ઉષાબેન ગાંધી (ઉં.વ. ૭૨) તે ૨૮/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે હેતલ, મેઘા તથા વૈશાલીના માતુશ્રી. અશ્ર્વિનકુમાર રતિલાલ, જયદીપકુમાર ખુશાલદાસ, કલ્પેશકુમાર ચંદ્રકાન્તના સાસુ. સ્વ. પ્રતાપરાય, મહેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, સ્વ. પુષ્પાબેન પોપટલાલ, સ્વ. જગજીવનદાસ પરમાણંદદાસ, સ્વ. મનસુખલાલ પ્રભુદાસ જાધવજીના ભાઈના પત્ની. સ્વ. નર્મદાબેન રૂઘનાથ, સ્વ. ઇન્દુબેન પ્રવિણચંદ્ર, જીતેન્દ્રભાઈ તથા મહેશભાઈ મણિલાલના બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨/૧૨/૨૨ના શુક્રવાર સાંજે ૪ થી ૬ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, (સર્વોદય હોલ) ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી. રોડ. બોરીવલી વેસ્ટ.
શ્રી દશગામ પંચાલ
શ્રી અરવિંદભાઈ (બાબુભાઈ) નારણદાસ પંચાલ (ઉં.વ. ૭૬), ગામ પલસાણા (ઉદવાડા) હાલે વસઈ તા. ૨૬-૧૧-૨૨, શનિવારે દેવલોક પામ્યા છે. તેઓ કૈલાસબેનના પતિ. કેતનભાઈ, નીતાબેન, કેતકીબેનના પિતાશ્રી. કૃતિકાબેન, બિંદેશકુમાર અને દિનેશકુમારના સસરાજી. સ્વ. ગિરધરભાઈ, શ્રી પ્રવીણભાઈ, શ્રી ભરતભાઈ, ગં. સ્વ. જશુબેન, ગં. સ્વ. પુષ્પાબેન, ગં. સ્વ. પદમાબેનના ભાઈશ્રી. સ્વ. ચુનીભાઈ, રમણભાઈ, હીરાલાલ, ચંદ્રકાંતભાઈ, ગજેન્દ્રભાઈ, સ્વ. લલીતાબેન, સ્વ. કમલાબેન, ગં. સ્વ. રત્નમણિબેનના બનેવી. બંને પક્ષની સાદડી શુક્રવાર, તા. ૨/૧૨/૨૨ને બપોરે ૩ થી ૬. ઠે.: જયેષ્ઠ નાગરિક વિરાંગુલા હોલ, એવરશાઈન સીટી, બ્રોડ વે સિનેમાની પાસે, વસઈ (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી મોઢ વણિક
હાલ મલાડ સ્વ. કોકિલાબેન તથા સ્વ. જવાહરભાઇ હરિલાલ દલાલના સુપુત્ર પ્રણવ દલાલ (ઉં.વ. ૬૮) તે નીલાક્ષીબેનના પતિ. મનન-અ.સૌ. માનસી, માનસી હર્ષ મૂછાલાના પિતા. ગૌરાંગ-નયના, નીરવ-સ્મિતા તથા પોલોમી સ્ટીવ અલમેડાના ભાઈ. સાસરાપક્ષે સ્વ. પન્નાબેન નરેન્દ્રભાઈ દલાલ બોરીવલીવાળાના જમાઈ, સોમવાર, તા. ૨૮-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ઉના નિવાસી (હાલ બોરીવલી) લક્ષ્મીદાસ ભગવાનદાસ શેઠ (ઉં. વ. ૮૮) તે અશુમતીના પતિ. વિપ્રેશ, રાજેશ, ઉર્મીલા, રેણુકા, સ્વ. ચંદ્રિકા, દિપીકા, દીના તથા જાગૃતિના પિતાશ્રી. નિપા, પ્રિતી, સ્વ. કાંતિલાલ, નરેન્દ્ર, સ્વ. જયેશકુમાર, પિયુષ, કમલેશ, રાજેશના સસરા. ખ્યાતિ, દર્શન, મહેક તથા રિયાના દાદા. દુર્લભદાસ ગુલાબચંદ શાહના જમાઈ. દિપેશ, ભાવિકા, દિવ્યા, સમીર, હિમાંશુ, નેહા, નિષિધ, પાયલ, અભિષેક, જીનલ, વરૂણ તથા કરણના નાના ૨૯-૧૧-૨૨ને મંગળવારના અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૧-૧૨-૨૨ને ગુરુવારે ૫ થી ૬.૩૦. સ્થળ: બાપ્સ સ્વામી નારાયણ મંદિર, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, યોગીનગર, એકસર રોડ, બોરીવલી (વે.).
કચ્છી ભાટિયા
તુષાર આણંદજી મટાણી (ઉં. વ. ૭૦) સ્વ. આણંદજી મુલજી મટાણી તથા સ્વ. રાધાબેન આણંદજીના પુત્ર. તે સ્વ. કિશોર, દીપક, મુકેશ, સ્વ. કમલા, સ્વ. ક્રિષ્ણા, સ્વ. દમયંતી, સ્વ. જયા, ધનવંતી, અરુણાના ભાઈ ૨૭-૧૧-૨૨, રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.