હાલાઇ લોહાણા
કરાચીવાલા હાલ અંધેરી મુંબઇ શિવલાલભાઇ નરસીદાસ સેજપાલ (ઉં. વ. ૯૨) તે સ્વ. મુરિબેન નરસીદાસ સેજપાલના પુત્ર. તે સ્વ. પુષ્પાબેનના પતિ. ગોદાવરીબેન તુલસીદાસ કોટકના જમાઇ. સ્વ. નિલાબેન રસીકભાઇ ઠક્કર, સ્વ. શૈલેશભાઇ તથા વિનયભાઇના પિતા. તથા રસીકભાઇ રામજી ઠક્કર, રેખા અને વિજલના સસરાજી. તથા દિપાલી, ટીના, ખુશ્બુ, માનસી અને નતાશાના દાદાજી ગુરુવાર તા. ૧૭-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
બરંદાવાળા હાલે મુલુંડ સ્વ. મંગલાબેન (લક્ષ્મીદેવી) રાઘવજી ચંદેના પુત્ર ધરમશી (ઉં. વ. ૭૯) ૧૬-૧૧-૨૨ ને બુધવારે રામશરણ પામ્યા છે. તે સ્વ. સાકરબેન રૂપસિંહ આણંદજી રાયકગોર કચ્છ ગામ લખપતવાળા હાલે મુલુંડવાળાના જમાઈ. વર્ષાબેન પ્રતાપ અનમ ઉષાબેન મનોજ ભીંડેના પિતાશ્રી. સ્વ. પ્રતાપ સ્વ. વિનોદ અરવિંદ અને ગુણવંતના ભાઈ. કાંતાબેન સુધીર કોટેચા, નયનાબેન મધુસુદનના ભાઈ. મિતાલી અંકિત સેજપાલના નાના. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા સ્વ. જશુબેન જગજીવનદાસ સંઘવીના પુત્ર પ્રસાંતભાઈ સંઘવી (ઉં. વ. ૬૨) સ્વ. સંગીતાબેનના પતિ. નુપુરના પિતા. સંજીવના ભાઈ. ભાવનાબેનના જેઠ. શ્ર્વસુર પક્ષે સ્વ. ચંદ્રિકાબેન અનીલભાઈ શેઠના જમાઈ ૧૭-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
ઉમરેઠ વિશા ખડાયતા વણિક
ઉમરેઠ નિવાસી, હાલ બોરીવલી, ગં. સ્વ. શારદાબેન નવનીતલાલ તલાટી (ઉં. વ. ૯૬), તે સ્વ. નવનીતલાલ ચીમનલાલ તલાટીના પત્ની. સ્વ. મોહનલાલ મનસુખલાલ પટેલ અને સ્વ. મણીબેન મોહનલાલ પટેલનાં સુપુત્રી. પ્રદીપભાઈ, આશાબેન ઇન્દ્રવદન સુતરીયા, વિનોદભાઈ, સ્વ. મહેશભાઈના માતુશ્રી. ગીતાબેન, ઝરણાબેન, સ્વ. રૂપાબેનનાં સાસુ. વિપુલ, જય, સ્વ. સમીર, વિરેન, સપના, શ્વેતાના દાદી. આશિષના નાની તા ૧૦/૧૧/૨૦૨૨ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ કોટેશ્વર હાલ માટુંગા ગં.સ્વ. સાવિત્રીબેન ઠક્કર (ઉં. વ. ૮૫) તે સ્વ. રતનશીભાઈ ટોકરશી ઠક્કરના પત્ની. ને સ્વ ટોકરશીભાઇ ડોસા ગોપાલજી ને સ્વ ભચીબાઇ ટોકરશીભાઇની પુત્રવધૂ. સ્વ. હરખબાઇ – સ્વ હરિરામ મેઘજી પલણ કલ્યાણપુરની પુત્રી ૧૭-૧૧-૨૦૨૨ ને ગુરુવાર રામશરણ ગયા છે. તે જવાહરભાઇ, મુલરાજભાઇ, સૌ. રાજશ્રીબેન, મિનાક્ષીબેનની માતા. સૌ. જાગૃતી જવાહરભાઇ ઠક્કર ને સૌ. સ્વાતિ મુલરાજભાઇ ઠક્કરને દિપક વાડીલાલ કોઠારીના સાસુ. અંકિત જવાહર ઠક્કર ને દર્શન મુલરાજ ઠક્કરના દાદીમા. દેહપરિવર્તન કરેલ છે પ્રાર્થનાસભા રાખવામા આવેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
લુહાર સુથાર
ચુડા નિવાસી હાલ વાંદરા સ્વ. નાનજીભાઈ ડાહ્યાભાઈ રાઠોડના ધર્મપત્ની સરોજબેન રાઠોડ (ઉં.વ. ૮૦) તે ૧૭/૧૧/૨૨ના રામચરણ પામેલ છે. તે સ્વ. મનહરભાઈ, કુન્તાબેનના ભાભી. કિશોરભાઈ, ભારતીબેન, દિપીકાબેનના માતુશ્રી. હર્ષાબેન, ભરતકુમાર, કિરણકુમારના સાસુ. શોકસભા ૧૯/૧૧/૨૨ના ૫ થી ૭ કલાકે લુહાર સુતાર સેનેટરિયમ વાડી, અંબાજી માતા મંદિર પાસે, કાર્ટર રોડ ૩, બોરીવલી ઈસ્ટ.
ઔદિચ્ય ગોરવાળ બ્રાહ્મણ
ગામ ગોળ હાલ અંકલેશ્ર્વર ગં.સ્વ. કુંતાબેન છગનલાલજી દવે તે અરૂણાબેન, મનોજભાઈ, વનિતાબેન, સ્વ. વિનોદભાઈનાં માતુશ્રી. તે ભૂપેન્દ્ર કુમાર, વર્ષાબેન, દિલીપકુમારનાં સાસુમાં. તે સ્વ. કમળાબેન, સ્વ. દયાલુભાઈ, સ્વ. કાંતાબેન, બેબીબેન, તારાબેનનાં ભાભી. તે પોસલિયા નિવાસી સ્વ. મોરેશ્ર્વરજી ચંદ્રેશ્ર્વરજી ત્રિવેદીનાં દિકરી. તે સ્વ. મદનલાલ, પુખરાજભાઈ, સ્વ. ઇન્દ્રલાલ, સ્વ. પન્નાલાલ, સ્વ. રુકમણીબેનનાં બેન તા. ૧૭/૧૧/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦/૧૧/૨૨નાં સાંજે ૫.૦૦ થી ૭.૦૦ આધાર હોલ, દૌલત નગર, બોરીવલી ઈસ્ટ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
શ્રી શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ભાવનગર કાંચ મંદિર, હાલ ગોરેગાંવ ગજેન્દ્રશંકર ભાઈશંકર રાવળ (ઉં.વ. ૯૩) તે જસુમતીબેનના પતિ. ઉર્મિલાબેન મહેન્દ્રકુમાર, રાજેશ્રીબેન જીતેન્દ્રકુમાર, હિનાબેન નિરંજનકુમાર, પૂર્ણિમાબેન કૌશિક કુમાર, વિપુલભાઈના પિતાશ્રી. અર્ચનાના સસરા. સ્વ. લાભશંકર, સ્વ. રવિશંકર, સ્વ. કાંતિલાલ, સ્વ. જસવંતરાય, સ્વ. શાંતાબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. ચંપાબેન, ગં.સ્વ. સુમિત્રાબેન, ગં.સ્વ. કુસુમબેનના ભાઈ. કનૈયાલાલ ભવાનીશંકર, ગં.સ્વ. હંસાબેન રવિશંકર, મધુબેન ભૂપતરાયના બનેવી તા. ૧૫ -૧૧-૨૨ મંગળવારના કૈલાસવાસી થયેલ છે. બન્ને પક્ષની સાદડી તા. ૧૯-૧૧-૨૨ના ઠે: હાલાઇ લોહાણા મહાજન વાડી, ૨જે માળે, એસ.વી. રોડ. કાંદિવલી (વેસ્ટ), સમય: ૪:૦૦ થી ૬:૦૦ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા સોરઠીયા વણિક
શીલવાળા હાલ કાંદિવલી ગં.સ્વ. તારામતી (ઉં.વ. ૮૨) તે સ્વ. ભગવાનદાસ વિઠ્ઠલદાસ શાહના ધર્મપત્ની. સ્વ. હરખચંદ મોતીચંદ ખીમાણી તથા સ્વ. ગંગાબેનના સુપુત્રી. રોહિણીબેન તથા વસુબેનના મોટાબહેન. સ્મિતા, પારૂલ (પૂર્વી) ક્ષમાના માતુશ્રી. ભુપેન્દ્રભાઈ, યોગેશભાઈ, અશ્ર્વિનભાઈના સાસુ. ૧૭/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ભાવનગરી મોચી
મૂળગામ તલગાજડા હાલ બોરીવલી- નરેશભાઈ હિંમતભાઈ સોંડાગર (ઉં.વ. ૪૭) તા. ૧૮/૧૧/૨૨ના અક્ષરધામ પામેલ છે. હિંમતભાઈ અને અંજુબેન હિંમતભાઈ સોંડાગરના પુત્ર. ભારતીબેનના પતિ. મહેન્દ્રભાઈ તથા રેખાબેન ચુનીલાલ વાજાના ભાઈ. માનસી પાર્થ ડોડિયા અને આદિત્ય નરેશભાઈ સોંડાગરના પપ્પા. પ્રવિણભાઈ ધરમશીભાઈ વાઘેલા અને લાભુબેન પ્રવિણભાઈ વાઘેલાના જમાઈ. પ્રાર્થનાસભા ૧૯/૧૧/૨૨ના ૫ થી ૭ કલાકે લુહાર સુતાર વાડી, કાર્ટર રોડ નં. ૩ અંબા માતા મંદિર પાસે, બોરીવલી (પૂર્વ.)
કપોળ વૈષ્ણવ
અમરેલીવાળા સ્વ. વિજયાલક્ષ્મી ગંગાદાસ સંઘવીના સુપુત્ર નવીનચંદ્ર સંઘવી (ઉં.વ. ૭૯), જેઓ ઉષાના પતિ. પુર્વા વિજય પારેખ, જીગ્ના અમીષ મેહતા તથા વિઠ્ઠલના પિતા. નતાલી સંઘવીના સસરા. સ્વ. જવાહરભાઈ, સ્વ. વસુમતી પારેખ, ગં.સ્વ. હિરાલક્ષ્મી ગોરડીયા, ગં.સ્વ. કોકિલા મેહતા, સ્વ. પ્રવિણા મેહતા તથા પ્રકાશ સંઘવીના ભાઈ. મોહનલાલ જગજીવનદાસ મેહતાના જમાઈ તા. ૧૧-૧૧-૨૦ના રોજ અમેરીકા મુકામે શીકાગો શહેરમાં શ્રીજીચરણ પામેલ છે.
મેઘવાળ
ગામ ભડી ભંડારીયા, ભાવનગર (હાલ મુંબઈ)ના સ્વ. પ્રેમબાઈ અને સ્વ. બેચર મીઠાભાઈ પડાયાના પુત્રવધૂ. સ્વ. કરસનભાઈના પત્ની. ગીરધર, રમેશના માતા. સ્વ. કવિતાબેન, મીનાબેન, રમાબેનના સાસુ. સ્વ. મૂળીબેન અને સ્વ. નાનજીભાઈ હિરાભાઈ પારધીના દીકરી. ગં. સ્વ. હીરુબાઈ ખીમજી પડાયાના બહેન ગં. સ્વ. નથુબાઈ કરસન પડાયા (ઉં. વ. ૭૮) ૧૪-૧૧-૨૨ના રામશરણ પામ્યા છે. બારમાની વિધી, ભજન ૨૦-૧૧-૨૨ના રવિવારે ૪ કલાકે બીઆઈટી ચાલ નં. ૮, રૂમ નં. ૩૭, મઝગાંવ, તાડવાડી ખાતે રાખવામાં આવી છે.
ગામ પડવા હાલ મુંબઈ (શાંતિનગર) સ્વ. ટીડીબેન પટેલ (ઉં. વ. ૮૨) તા. ૧૦-૧૧-૨૨, ગુરુવારના રામશરણ પામ્યા છે. તેઓ સ્વ. ટીડાભાઈ ગોવિંદ પટેલના ધર્મપત્ની. સ્વ. બધાભાઈ દેવશી મારૂ તથા સ્વ. રૂપાબેન બધા મારૂના દીકરી. સ્વ. ગોવિંદભાઈ નાનજી પટેલ તથા સ્વ. ગોરીબેન ગોવિંદ પટેલના પુત્રવધૂ. ઉષાબેન, ધીરજભાઈ, મોહનભાઈ, ચંપાબેનના માતોશ્રી. રૂપસિંગ બાબરીયા, ચંદ્રકાંત ગોહિલ, પુષ્પાબેન પટેલ, વર્ષાબેન પટેલના સાસુમા. બારમાની વિધી ૨૦-૧૧-૨૨ના રવિવાર ૫ કલાકે. નિવાસસ્થાન: રૂમ નં. ૬, ચાલ નં. ૪, શાંતિનગર, સાને ગુરુજી માર્ગ, કસ્તુરબા હોસ્પિટલ સામે, મુંબઈ-૧૧.
ઘોઘારી દશાશ્રીમાળી વણિક
ભાવનગરના (હાલ કાંદિવલી) સ્વ. ભાનુબેન પ્રાણજીવનદાસના પુત્રવધૂ અ. સૌ. જયશ્રીબેન (ઉં. વ. ૬૬) તે પ્રકાશભાઈના પત્ની ૧૬-૧૧-૨૨ના દેવલોક પામેલ છે. તે અંકિત-દિપલ અને દીપલ-ચેતનના માતુશ્રી તથા મહુવાવાળા કેશવલાલ ગોકુળદાસ મહેતાની દીકરી. પ્રાંશી અને હૃદાંશીના નાની. બંને
પક્ષની સાદડી રવિવાર, ૨૦-૧૧-૨૨ના ૩ થી ૫. ઠે. પાવનધામ, મહાવીર નગર,
કાંદિવલી (વે).
કચ્છી લોહાણા
સ્વ. મોંગીબાઈ ખેરાજભાઈ દયાળજી તન્ના કચ્છ ગામ ગુવાર હાલે નાશિક રોડના નાના પુત્ર મહેન્દ્રભાઈ તન્ના (ઉં. વ. ૬૨) ૧૮-૧૧-૨૨, શુક્રવારના રામશરણ પામેલ છે. તે જ્યોતિબેનના પતિ. તે સ્વ. નર્મદાબેન કુંવરજી રાયગંગધર કચ્છ ગામ વડસર હાલે પુનાના જમાઈ. તે રીમાબેન આશિષ તથા માનસી કપિલના પિતાશ્રી. તે ટેકચંદભાઈ, દિનેશભાઈ, સ્વ. લક્ષ્મીબેન દામજી, દેવીબેન અશોકભાઈ, અ. સૌ. અરૂણાબેન તુલસીદાસ, અ. સૌ. રેખાબેન રાજેન્દ્રના ભાઈ. તે સ્વ. થાવરદાસ રામજી પૌવા/ ઠાકરસીભાઈ તથા શંકરભાઈ કચ્છ ગામ (મોટી બેર)ના ભાણેજ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૯-૧૧-૨૨, શનિવારના ૪ થી ૫. ઠે. જૈન ભવન આર્ટીલરી સેન્ટર રોડ, અનુરાધા ટોકીઝની પાછળ, નાસિક રોડ, લૌકિક વ્યવહાર બંધ છે.