Homeટોપ ન્યૂઝબાબરી ધ્વંસની વરસી પર આજે અયોધ્યામાં હાઈ એલર્ટ, મથુરામાં કલમ 144 લાગુ

બાબરી ધ્વંસની વરસી પર આજે અયોધ્યામાં હાઈ એલર્ટ, મથુરામાં કલમ 144 લાગુ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વર્ષ 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના અને ત્યાર બાદ થયેલા ગોઝારા હત્યા કાંડને આજે 6 ડિસેમ્બરે 30 વર્ષ પુરા થયા છે. બાબરી મસ્જિદ વિધ્વંસની વરસી ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માત્ર અયોધ્યામાં જ નહીં પરંતુ મથુરામાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અયોધ્યા પોલીસે આજના દિવસે કોઈ પણ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી આપી નથી. વાહનો અને બહારથી આવતા લોકોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મથુરાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગૌરવ ગ્રોવરે પોલીસ કર્મચારીઓને સમગ્ર મથુરામાં સુરક્ષાને લઈને દરેક ક્ષણ પર નજર રાખવા માટે કહ્યું છે.
પોલીસ હિન્દુત્વવાદી સંગઠનો પર પણ ખાસ નજર રાખી રહી છે. બંને મંદિરોના 300 મીટર વિસ્તારમાં બનેલા રેડ ઝોનમાં આવનારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. તમામ સંસ્થાઓને કડક સૂચના આપવામાં આવી છે.
તે જ સમયે, અખિલ ભારત હિન્દુ મહાસભાએ આજે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ સંકુલમાં લાડુ ગોપાલનો જલાભિષેક કરવા અને હનુમાન ચાલીસા વાંચવાની મંજૂરી માંગી છે. તેને જોતા મથુરા પ્રશાસને જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે. આ અંતર્ગત સભા, ધરણાં કે કોઈપણ પ્રદર્શન માટે પાંચથી વધુ લોકોને એક જગ્યાએ એકઠા થવાની મંજૂરી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular