પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફનું નિધન થયું છે. તેઓ 79 વર્ષના હતા. મુશર્રફની દુબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મુશર્રફના મૃત્યુ બાદ કોંગ્રેસ નેતા શશિ થરૂરના એક ટ્વિટ પર હંગામો મચી ગયો છે. થરૂરે મુશર્રફને શાંતિ માટેનું પ્રેરક બળ ગણાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આ ટ્વિટ પર થરૂર પર નિશાન સાધ્યું છે.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ (નિવૃત્ત) પરવેઝ મુશર્રફના નિધન પર શોક વ્યક્ત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે રવિવારે કહ્યું હતું કે, “એક સમયે ભારતના કટ્ટર દુશ્મન મુશર્રફ 2002 અને 2007 વચ્ચે શાંતિ માટે એક પ્રેરક શક્તિ બની ગયા હતા. ” પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું દુર્લભ બીમારીને કારણે અવસાન થયું. એક સમયે ભારતના કટ્ટર દુશ્મન, તેઓ 2002-2007 વચ્ચે શાંતિ માટે બળ બની ગયા હતા.”
થરૂરે કહ્યું હતું કે, “હું દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રમાં તે દિવસોમાં તેમને મળતો હતો અને તેમના રાજદ્વારી વિચારોમાં તેઓ ચતુર અને સ્પષ્ટ જણાયા હતા. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે.” થરૂરે કરેલા આ ટ્વિટ પર હવે હંગામો થયો છે. તેમના નિવેદનને લઈને ભાજપે તેમના પર નિશાન સાધ્યું છે.
બીજેપી નેતા શહઝાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું, ‘પરવેઝ મુશર્રફ, કારગીરના આર્કિટેક્ટ, સરમુખત્યાર, જઘન્ય અપરાધોના આરોપી, જેઓ તાલિબાન અને ઓસામાને ભાઈ અને હીરો માનતા હતા, જેમણે પોતાના જ શહીદ સૈનિકોના મૃતદેહ પાછા લેવાનો ઈન્કાર કર્યો હતો, તેમની પ્રશંસા કરી રહી છે. કોંગ્રેસ. શું તમને આશ્ચર્ય થયું? ફરીથી કૉંગ્રેસની પાક પ્રત્યેની દોસ્તી દેખાઇ આવે છે.
પૂનાવાલાએ અન્ય એક ટ્વિટમાં કહ્યું હતું કે, ઓસામા બિન લાદેન અને તાલિબાનના વખાણ કરનારા પરવેઝ મુશર્રફે રાહુલ ગાંધીના પણ વખાણ કર્યા હતા. તેમણે રાહુલને જેન્ટલમેન કહ્યો અને તેને સમર્થન આપવાનું વચન આપ્યું. કદાચ આ જ કારણ છે કે શશિ થરૂર કારગીલના આર્કિટેક્ટ અને આતંકવાદના સમર્થકના વખાણ કરી રહ્યા છે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા પૂનાવાલાએ ટ્વીટ કર્યું કે, “કલમ 370થી લઈને સર્જિકલ સ્ટ્રાઈક સુધી, બાલાકોટ પર શંકા કરતી કોંગ્રેસ મુશર્રફની પ્રશંસા કરી રહી છે, જ્યારે આપણા પોતાના ચીફને શેરીનો ગુંડો કહેવામાં આવે છે.”
‘તેઓ જ શાંતિના અસલી બળ હતા’, મુશર્રફના મૃત્યુ પર થરૂરના નિવેદને હંગામો મચાવ્યો
RELATED ARTICLES