Homeટોપ ન્યૂઝતારે જમીન પર'માં કેમિયો ભજવનાર ગુરુ દત્તના બહેનનું અવસાન

તારે જમીન પર’માં કેમિયો ભજવનાર ગુરુ દત્તના બહેનનું અવસાન

પીઢ કલાકાર લલિતા લાજમીનું સોમવારે, 13 ફેબ્રુઆરીના રોજ 90 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ જાણીતા કલાકાર અને ભારતીય લેખક સ્વર્ગસ્થ ગુરુ દત્તના બહેન હતા.
એક સ્વ-શિક્ષિત કલાકાર, લલિતા આમિર ખાન અભિનીત 2007ની ફિલ્મ ‘તારે જમીન પર’માં કેમિયો ભજવતા જોવા મળ‌્યા હતા, જેમાં સુપરસ્ટાર આમિર ખાને એક આર્ટ ટીચરની ભૂમિકા ભજવી હતી. તેઓ એક સારા ચિત્રકાર પણ હતા. જહાંગીર નિકોલ્સન આર્ટ ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લાજમીના દુઃખદ અવસાનના સમાચાર શેર કર્યા હતા.
લલિતા અને તેના સર્જનની જૂની તસવીર શેર કરતા ફાઉન્ડેશને કેપ્શનમાં લખ્યું હતું કે, “આર્ટિસ્ટ લલિતા લાજમીના નિધનના સમાચારથી અમને ખૂબ જ દુઃખ થયું છે. લાજમી શાસ્ત્રીય નૃત્યમાં ઊંડો રસ ધરાવતા સ્વ-શિક્ષિત કલાકાર હતા. દિગ્ગજ કલાકાર લલિતા લાજમીએ તેમની કૃતિઓ માટે તેમના અંગત જીવન અને અવલોકનોમાંથી પ્રેરણા મેળવી હતી. તેમના કાર્યોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેના છુપાયેલા તણાવને પ્રતિબિંબિત કરવામાં આવ્યો હતો. તેમની કૃતિઓ તેમના ભાઈ ગુરુ દત્ત, સત્યજીત રે અને રાજ કપૂર દ્વારા બનાવવામાં આવેલી ભારતીય ફિલ્મોથી પણ પ્રભાવિત હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular