Homeદેશ વિદેશPF ખાતાધારકો માટે સારા સમાચાર, EPFOએ વ્યાજ દરમાં કર્યો વધારો

PF ખાતાધારકો માટે સારા સમાચાર, EPFOએ વ્યાજ દરમાં કર્યો વધારો

પ્રોવિડન્ટ ફંડના ખાતા ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારના EPFO એ આજે યોજાયેલી તેમની બેઠકમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પર 2022-23 માટે વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો છે. ગઈકાલે EPFOની બે દિવસીય બેઠક શરૂ થઈ હતી. આ બે દિવસીય બેઠકમાં EPFOએ તેના ખાતા ધારકો માટે 2022-23 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પરના વ્યાજ દરની જાહેરાત કરી છે. વર્ષ 2021-22 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દર 8.1 ટકાના દરે હતો. આ દર 40 વર્ષમાં સૌથી નીચો હતો, જેને કારણે આ નિર્ણયનો વ્યાપક વિરોધ પણ કરવામાં આવ્યો હતો. EPFOમાં આશરે 6 ​​કરોડ કર્મચારી છે. EPFO તેમના આશરે 27.73 લાખ કરોડ રૂપિયાનું સંચાલન કરે છે આ તમામ લોકો માટે ખુશીના સમાચાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -