Homeઆમચી મુંબઈધારાવીની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ: જાનહાનિ ટળી

ધારાવીની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ: જાનહાનિ ટળી

(જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધારાવીના કમલાનગરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડિઝાસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા મુજબ કમલાનગર ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારના લગભગ ૪.૨૨ વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. સ્થાનિક રહેવાસીને આગની જાણ થતા તેણે તુરંત ફાયરબ્રિગેડને બોલાવી હતી. ફાયરબ્રિગેડના ૧૨ ફાયર ઍન્જિન, આઠ જેટી, વોટર ટેન્કર સહિત મોટી સંખ્યામાં ફાયર જવાનોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગની માત્રા ભીષણ હોવાથી તેને ત્રણ નંબરની જાહેર કરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડના કહેવા મુજબ કમલાનગર ઝૂંપડપટ્ટીમાં ૨૦૦ બાય ૩૦૦ના ઍરિયામાં મોટા પ્રમાણમાં ગ્રાઉન્ડ પ્લસ એક, ગ્રાઉન્ડ પ્લસ બે અને ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના બાંધકામ હતા. મોટાભાગના આ મકાનો ગાર્મમેન્ટ ફેક્ટર, બેકરી અને ગોડાઉન તરીકે વપરાતા હતા. આ ગોડાઉનમાંં મોટા પ્રમાણમાં કપડા, પેપર, પ્લાસ્ટિક, ટેરાપોલીન શીટ, સિલાઈ મશીન, ગાર્મેેન્ટનો સામાન હતો, જેને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી.
આ દરમિયાન સવારના આગને કારણે ટ્રાફિક પોલીસે ધારાવી કમલાનગરમાં નાઈન્ટી ફીટ રસ્તો ટ્રાફિક માટે બંધ કરી દીધો હતો અને ટ્રાફિકને સંત રોહીદાસ માર્ગ પર ડાઈવર્ટ કર્યો હતો.
ભારે જહેમત બાદ લગભગ ૧૧.૫ વાગે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular