Homeજય મહારાષ્ટ્રહિંગોલીમાં ટ્રકનો ભીષણ અકસ્માતઃ પાંચના મોત, બે ગંભીર

હિંગોલીમાં ટ્રકનો ભીષણ અકસ્માતઃ પાંચના મોત, બે ગંભીર

માલેગાંવઃ હિંગોલી જિલ્લાના કાલમનુરીથી થોડે દૂર માલેગાંવ પાસે એક ભયાનક અકસ્માત થયો. આ અકસ્માતમાં પાંચ લોકો સહિત કુલ 190 ઘેટાંના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ સિવાય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘેટાંને લઈ જતી ટ્રક પાર્ક કરેલા ટ્રક સાથે ભીષણ ટક્કર થઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

રાજસ્થાન તરફથી એક માલસામાન મોટર (એચઆર-55-AJ-3111) 200 થી વધુ ઘેટા લઈને હૈદરાબાદ તરફ જઈ રહી હતી. કેબિનમાં ટ્રક ચાલક સહિત ચાર લોકો બેઠા હતા, જ્યારે ટ્રકની પાછળ એક વ્યક્તિ ઘેટાં લઈને બેઠો હતો. બુધવારે મોડી રાતના 3:30 વાગ્યાની આસપાસ માલેગાંવ ફાટા નજીક ટ્રક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તેની સામે ઉભેલી માલસામાનની ટ્રક સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં ટ્રકમાં સવાર ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બેને વધુ સારવાર માટે નાંદેડ લઈ જતા રસ્તામાં જ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં 190 ઘેટાંના મોત થયા હતા. અકસ્માતમાં ઘાયલ બંનેને તાત્કાલિક કાલમનુરી ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા, પરંતુ તેની હાલત નાજુક હોવાથી વધુ સારવાર માટે નાંદેડ ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. અકસ્માતમાં ઘટનાસ્થળે મૃત્યુ પામેલા ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાલમનુરીની જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તો પૈકી એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માતમાં મૃતકની ઓળખ સલમાન અલી મૌલા અલી, સત્યનારાયણ બલાઈ, લાલુ મીના, કાદિર મેવાતી, આલમ અલીનો સમાવેશ થાય છે.

એક વ્યક્તિ રાજસ્થાન, જ્યારે બાકી મધ્યપ્રદેશના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અગાઉ ત્રણ અકસ્માતમાં 12 જણનાં મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -