Homeઆમચી મુંબઈકમોસમી વરસાદના કારણે આઠ જિલ્લા અસરગ્રસ્ત

કમોસમી વરસાદના કારણે આઠ જિલ્લા અસરગ્રસ્ત

ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાને માહિતી આપી

મુંબઈઃ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે આઠ જિલ્લાઓમાં લગભગ 13 હજાર 729 હેક્ટર ખેતીને નુકસાન થયું છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ખાતરી આપી હતી કે નુકસાનગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક મદદ કરવામાં આવશે.
વિપક્ષના નેતા અજિત પવાર, નાના પટોલે, છગન ભુજબળે આ મામલે મુદ્દો ઉઠાવ્યો હતો.
નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે આ પ્રસંગે કહ્યું કે પાલઘર જિલ્લાના વિક્રમગઢ, જવ્હાર માં 760 હેક્ટર અને નાસિક જિલ્લામાં 2685 હેક્ટરને નુકસાન થયું છે. ધુલેમાં 3144 હેક્ટર, નંદુરબારમાં 1576 હેક્ટર, જલગાંવમાં 214 હેક્ટર, અહેમદનગરમાં 4100 હેક્ટર, બુલઢાણામાં 775 હેક્ટર અને વાશિમ જિલ્લામાં 475 હેક્ટર જમીનને નુકસાન થયું છે.
ગઈ કાલે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચનાઓ આપી છે. નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે નુકસાન અંગે વધુ માહિતી મંગાવવામાં આવી રહી છે અને તાત્કાલિક સહાય માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular