Homeટોપ ન્યૂઝરાજધાનીની ધરા ધ્રુજી ઉઠી ભૂંકપના આંચકાથી

રાજધાનીની ધરા ધ્રુજી ઉઠી ભૂંકપના આંચકાથી

નવી દિલ્હીઃ દેશની રાજધાની મંગળવારે બપોરે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. આ આંચકાઓ એટલા બધા તીવ્ર હતા કે અનેક જગ્યાએ ઓફિસમાં બેઠેલા લોકોએ પણ તે મહેસૂસ કર્યા હતા.

દિલ્હી એનસીઆરમાં મંગળવારે બપોરે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડની રાજધાની દહેરાદુન, પિથૌરાગઢ અને અલ્મોડામાં પણ આંચકા અનુભવાયા હતા. પિથૈરાગઢમાં 3.8 રેક્ટર સ્કેલ પર ધરા ધ્રૂજી ઉઠી હતી. આ સિવાય સવારે 7.57 કલાકે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં પણ ધરતીકંપ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ આંચકા એટલા બધા તીવ્ર હતા કે ઘરમાં અને ઓફિસમાં બેસેલા લોકોએ પણ તેને મહેસૂસ કર્યા હતા. જોકે, હજી સુધી જાન-માલના નુકસાનની કોઈ જાણકારી સામે આવી નથી.
આ પહેલાં પણ પાંચમી જાન્યુઆરીમાં દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીર પણ આંચકાથી ધ્રૂજી ઉઠ્યું હતું અને ત્યાં પણ લોકોએ આ આંચકા અનુભવ્યા હતા. એ સમયે આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular