Homeઆમચી મુંબઈપરિવારના વિરોધ બાદ પ્રેમીપંખીડાઓએ ભર્યું પગલું

પરિવારના વિરોધ બાદ પ્રેમીપંખીડાઓએ ભર્યું પગલું

મુંબઈઃ મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના શનિવારે સામે આવી હતી, જેમાં પ્રેમીપંખીડાઓએ ટેકરી પરથી કૂદકો મારીને જીવનનો અંત આણ્યો હતો. મુંબઈના કાંદિવલી પરિસરમાં આ ઘટના બની હતી. આ ઘટનાને કારણે આસપાસના પરિસરમાં ખળભળાટ મચી ગયો હોઈ પોલીસ દ્વારા આ ઘટનાની વિસ્તારપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
કાંદિવલી સમતાનગર પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી. હાઉસકિપિંગનું કામ કરી રહેલાં 21 વર્ષના યુવક અને 15 વર્ષીય કોલેજિયન યુવતી કાંદિવલીના જાનુપાડા પરિસરમાં રહેતાં હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા, પરંતુ બંનેના આ પ્રેમ સંબંધોનો પરિવારજનો વિરોધ કરી રહ્યા હતા. બંને જણે પરિવારને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો. પણ ઘરના લોકો સમજ્યા નહીં અને આખરે કંટાળીને આ પ્રેમીપંખીડાએ ટેકરી પરથી ભૂસકો મારીને આત્મહત્યા કરી હતી.
મૃતક યુવક-યુવતી એક જ સમાજના હોઈ એકબીજાના સંબંધમાં થતા હતા, તેમ છતાં બંનેના પરિવારજનો આ સંબંધની વિરુધ્ધ હતા. આ જ કારણસર કંટાળીને બંને જણે આત્મહત્યા કરી હતી. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે સમતાનગર પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular