Homeઆપણું ગુજરાતગુજરાતના વાતાવરણમાં પલટો: માવઠા સાથે આ વિસ્તારમાં કરા પડવાની આગાહી

ગુજરાતના વાતાવરણમાં પલટો: માવઠા સાથે આ વિસ્તારમાં કરા પડવાની આગાહી

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતભરમાં માર્ચ મહિનામાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફુકવાની અને કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
હવમાન વિભાગે આપેલી માહિતી મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલીમાં 41 થી 61 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદ પડશે આ સાથે કરા પડવાની પણ સંભાવના છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, સુરત અને કચ્છમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતી કાલે 16મી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, બોટાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની થવાની સંભવાના વ્યક્ત કરવામાં આવી છે.
આ પહેલા થયેલા માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે ત્યારે હજુ પણ આગામી 5 દિવસ વરસાદનો આગાહી કરાતા ખેડૂતો ચિંતામાં ડૂબી ગયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ખેડૂતોને તૈયાર થયેલા પાકને યોગ્ય જગ્યા પર રાખી દેવા માટે સૂચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular