મુંબઈઃ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માતુશ્રીના નિધનને પગલે દુનિયાભરથી જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. બી-ટાઉનની અનેક સેલિબ્રિટીઓએ પણ ટ્વીટર પર પોસ્ટ કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.
બી-ટાઉનમાંથી વિવાદોની ક્વીન કંગના રનોટે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શોક વ્યક્ત કરતાં મોદીજી અને હીરાબાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે કપરા સમયમાં ભગવાન મોદીજીને સંયમ અને શાંતિ પ્રદાન કરે.
જ્યારે દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે હીરાબાના નિધન પર પ્રતિક્રિયા આપતા પોસ્ટ કર્યું હતું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, માતા હીરાબાના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તમારા જીવનમાં એમની જગ્યા કોઈ જ નહીં લઈ શકે. પણ તમે ભારતમાતા પુત્ર છો. મારી માતા સહિત દેશની દરેક માતાનો આશિર્વાદ તમારી સાથે છે.
आदरणीय प्रधानमंत्री @narendramodi जी! आपकी माताश्री #हीराबा जी के निधन का सुनकर मन दुखी भी हुआ और व्याकुल भी।आपका उनके प्रति प्यार और आदर जग ज़ाहिर है।उनका स्थान आपके जीवन में कोई नहीं भर पाएगा! पर आप भारत माँ के सपूत हो! देश की हर माँ का आशिर्वाद आपके ऊपर है।मेरी माँ का भी!🙏🕉 pic.twitter.com/L9uPvMWjM2
— Anupam Kher (@AnupamPKher) December 30, 2022
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના દિગ્દર્શક વિવેદ અગ્નિહોત્રીએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ કર્યું હતું કે ભારતમાતાના સપૂતનાં માતુશ્રીનું કર્મયોગી જીવન અમને બધાને હંમેશા પ્રેરણા આપશે.
My deepest condolences to Shri @narendramodi on the sad demise of his beloved ‘maa’.
भारत माँ के सपूत की माँ का कर्मयोगी जीवन हम सबको प्रेरणा देता रहेगा। शतक शतक नमन।
ओम् शांति। pic.twitter.com/bNPWpI9d2P— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) December 30, 2022
અભિનેત્રીએ સ્વરા ભાસ્કરે ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે મોદીજીને કપરાં સમયમાંથી બહારથી આવવાની તાકાત અર્પે. પ્રાર્થના… ઓમ શાંતિ…
Condolences to PM @narendramodi on the passing of his mother. Prayers and strength 🙏🏽🙏🏽🙏🏽
— Swara Bhasker (@ReallySwara) December 30, 2022
મિસ્ટર ખિલાડી અક્ષય કુમારે ખરખરો કરતાં ટ્વીટર પર પોસ્ટ કર્યું હતું કે માતાને ગુમાવવાથી મોટું બીજું કોઈ દુઃખ છે જ નહીં. ભગવાન તમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
माँ को खोने से बड़ा दुख कोई नहीं. भगवान आपको इस दुख को सहने की शक्ति दे @narendramodi जी. ॐ शांति 🙏
— Akshay Kumar (@akshaykumar) December 30, 2022
સાઉથના સુપર સ્ટાર કમલ હસને પણ હીરાબાના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં પોસ્ટ કર્યું હતું કે વડા પ્રધાન મોદીજીની માતાના નિધનના સમાચાર સાંભળી દુઃખ થયું. હંમેશા માતા એ માતા જ હોય છે અને એને ગુમાવવાથી બીજું કોઈ જ મોટું દુઃખ આ દુનિયામાં નથી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે…
பாரதப் பிரதமர் @narendramodi அவர்களின் தாயார் #HeerabenModi மறைந்த செய்தி அறிந்து துயருற்றேன். அவருக்கு என் ஆழ்ந்த அனுதாபங்கள். 200 வயதானாலும் தாய் தாய்தான். இழப்பு இழப்புதான்.
— Kamal Haasan (@ikamalhaasan) December 30, 2022