Homeઆમચી મુંબઈકાશી યાત્રા માટે ફ્રી ટ્રેન, ભાજપના આ નેતાની પહેલ

કાશી યાત્રા માટે ફ્રી ટ્રેન, ભાજપના આ નેતાની પહેલ

શ્રી કાશી વિશ્વનાથ ધામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો. તેમણે કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. 339 કરોડના ખર્ચે બનેલા કાશી વિશ્વનાથ ધામના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન એક વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. ભાજપના ધારાસભ્ય રામ કદમ ઘણા સમયથી આ નવી કાશીને પ્રદર્શિત કરવા અને ભક્તોને ભગવાન વિશ્વનાથની ઝલક આપવા માટે મફત કાશી યાત્રાનું આયોજન કરી રહ્યા છે. અત્યાર સુધી તેઓએ સાત ટ્રેનમાં ભક્તોને ઘાટકોપરથી કાશી સુધી મફત યાત્રા કરાવી છે અને 7 જાન્યુઆરી શનિવારના રોજ ત્રણ હજાર શ્રદ્ધાળુઓની આઠમી ટ્રેન કાશી માટે રવાના થઈ હતી. ટ્રેનને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ લીલી ઝંડી બતાવી હતી. નારાયણ રાણેએ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે રામ કદમની પહેલની પ્રશંસા કરી હતી. રામ કદમ ત્રણ હજાર માતા-પિતા સાથે દર્શન માટે જઈ રહ્યા છે, એમ જણાવતાનારાયણ રાણેએ કહ્યું હતું કે તેઓ કોંકણમાં પણ રામ કદમની પહેલને અનુસરશે અને લોકોને કાશી વિશ્વનાથ ધામની યાત્રા કરાવશે.
આ પ્રસંગે ધારાસભ્ય રામ કદમે કહ્યું હતું કે તેઓ ઘાટકોપરમાં રહેતા તમામ માતા-પિતા માટે આ કાશી યાત્રાનું આયોજન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ યાત્રાનો લાભ લીધો છે. ઘાટકોપર પશ્ચિમમાં હવે બહુ ઓછા લોકો હશે જેમણે કાશીની મુલાકાત લીધી નથી અને ભગવાન વિશ્વનાથના દર્શન કર્યા નથી.
ટ્રેન દ્વારા તીર્થયાત્રાએ જતા વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. તેમના ખોરાકથી લઈને તેમના સ્વાસ્થ્ય સુધીની કાળજી લેવામાં આવી રહી છે. ટ્રેનમાં 22 ડોક્ટરોની ટીમ પણ રાખવામાં આવી છે. આરોગ્ય ટીમ વડીલોના હાથ-પગ દબાવવાથી લઈને તમામ કાળજી રાખે છે. તેમની ટીમ તીર્થયાત્રીઓને ઓળખ ચિહ્ન તરીકે પહેરવા માટે કેપ્સ આપે છે, જેથી તેઓ ક્યાંય ખોવાઇ ના જાય.
આ ઉપરાંત રામ કદમે રવિવારે 25,000 શ્રદ્ધાળુઓને શિરડી લઈ જવાની પણ જાહેરાત કરી છે, જેમાં મોટા ભાગના વરિષ્ઠ નાગરિકો હશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular