Homeટોપ ન્યૂઝ'બાપુના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં', PM મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી

‘બાપુના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં’, PM મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી

આજે 30મી જાન્યુઆરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ છે. આજે રાજઘાટ ખાતે બાપુની સમાધિ પર સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપશે. આ પહેલા તેમણે ટ્વિટ કરીને બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રધાંજલી અર્પણ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું, “હું બાપુને તેમની પુણ્યતિથિ પર નમન કરું છું અને તેમના ગહન વિચારોને યાદ કરું છું. રાષ્ટ્રની સેવામાં શહીદ થયેલા તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. બાપુના બલિદાનને ક્યારેય ભૂલવામાં નહીં આવે અને ભારત માટે વિકાસના કામ કરવાના અમારા સંકલ્પને મજબૂત બનાવતા રહીશું.”

“>

30 જાન્યુઆરીની તારીખ દેશના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધાયેલ છે. 30 જાન્યુઆરી, 1948 એ જ તારીખ છે જ્યારે નાથુરામ ગોડસે દ્વારા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આ દિવસ સમગ્ર દેશ માટે દુઃખનો દિવસ બની ગયો હતો, તેથી મહાત્મા ગાંધીની યાદમાં ભારત તેમની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે ઉજવે છે.
દર વર્ષે 30 જાન્યુઆરીએ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેનાના વડાઓ દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વિટ કર્યું કે વિશ્વ શાંતિ અને ભારતની પ્રગતિ માટે તેમના દ્વારા બતાવેલ માર્ગ આજે પણ ખૂબ જ પ્રાસંગિક છે. તેમની પ્રેરણાના કારણે આજે નવા અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ આગળ વધી રહ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular