આવતીકાલે એટલે કે 28મી માર્ચના મંગળવારે સાંજે તમે આકાશમાં જોશો અને એમાં પણ પશ્ચિમમાંથી જ્યારે આકાશમાં ધ્યાનથી જોશો તો એક અદ્ભૂત નઝારો જોવા મળશે. આકાશમાં તમને 5 ગ્રહોની મોતી જેવી માળા દેખાશે. આમ તો તમે 25 થી 30 માર્ચ દરમિયાન આ દુર્લભ નજારો જોઈ શકશો, પણ પ્રખ્યાત ખગોળશાસ્ત્રી બિલ કૂકના મતે આ ઘટનાને જોવા માટે શ્રેષ્ઠ દિવસ મંગળવાર, 28 માર્ચ છે, કારણ કે આ દિવસે પૃથ્વી પરથી ગ્રહો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાશે.
યુરેનસ અને મંગળ ચંદ્રની નજીક એક સીધી રેખામાં જોવા મળશે અને તેની સાથે સાથે જ બુધ, ગુરુ, શુક્ર પણ એક જ લાઈનમાં જોવા મળશે. જો તમે પશ્ચિમમાં ક્ષિતિજ તરફ જોશો તો તમે મંગળવારે સૂર્યાસ્ત પછી આ અદ્ભુત દૃશ્યનો આનંદ માણી શકશો. તમે ગ્રહોને એક સીધી રેખામાં જોઈ શકશો. સાંજે 6:36 થી 7:15 PM વચ્ચે ગ્રહો શ્રેષ્ઠ રીતે દેખાશે. જો આકાશ સ્વચ્છ હશે તો તમે આ નજારો તમારી પોતાની નરી આંખે જોઈ શકશો. ચાલો હવે તમને આ ખગોળીય ઘટનાનું જ્યોતિષીય પાસું જણાવીએ. આ ઘટનાની જ્યોતિષીય અસરો શું હશે, ચાલો જાણીએ મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષી શું કહી રહ્યા છે.
મેદિની જ્યોતિષ શાસ્ત્રના પુસ્તક ભવિષ્ય ફલ ભાસ્કર અનુસાર, જો શુભ ગ્રહો (ગુરુ, બુધ અથવા શુક્ર) અશુભ ગ્રહો (શનિ, મંગળ અને સૂર્ય) ની સામે ગોચર કરી રહ્યા હોય તો વધુ વરસાદ થાય છે. આ સમયે આકાશ અને ધરતી પર સમાન દ્રશ્ય જોવા મળી રહ્યું છે. હાલમાં, કેટલાક દિવસોથી, ગ્રહના સંક્રમણમાં સમાન સ્થિતિ પ્રવર્તી રહી છે.
ગુરુ અને બુધ બે શુભ ગ્રહો મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, જે શનિથી આગળનો સંકેત કુંભ રાશિમાં છે. શુભ ગ્રહ શુક્ર મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે, જે મીન રાશિમાં સ્થિત સૂર્યથી આગામી રાશિ છે. આ ગ્રહોની સ્થિતિના પરિણામે, છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર અને મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં કમોસમી વરસાદ થયો છે, જેના કારણે તાપમાન પણ સામાન્ય કરતા થોડું ઓછું ચાલી રહ્યું છે. આ વર્ષે ગ્રહોની આ સ્થિતિને કારણે ગરમી સામાન્ય કરતાં ઓછી રહેશે અને હીટવેવના દિવસો ઓછા રહેશે, પરંતુ કમોસમી વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર નથી. જેના કારણે પાકને મોટું નુકસાન થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મીન રાશિમાં સૂર્યની સાથે બે જળયુક્ત ગ્રહો ગુરુ અને બુધનું આગમન આગામી થોડા દિવસોમાં તોફાનને કારણે ઉભા પાકને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની સાથે કરા પડવાથી પાકને ભારે નુકસાન થઈ શકે છે…