Homeસ્પેશિયલ ફિચર્સમહા અષ્ટમીના 700 વર્ષ બાદ સર્જાઈ રહ્યો છે રાજયોગ, આ રાશિઓ થશે...

મહા અષ્ટમીના 700 વર્ષ બાદ સર્જાઈ રહ્યો છે રાજયોગ, આ રાશિઓ થશે માલામાલ…

ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે અને આજે ચૈત્રી નવરાત્રિનો આજે બીજો દિવસ… હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું સવિશેષ મહત્વ છે અને એમાં પણ આ વર્ષે અષ્ટમીના દિવસે દુર્લભ યોગ બની રહ્યો છે. આ યોગ કેટલીક રાશિના જાતકોને માલામાલ બનાવશે અને એ વિશે જ અહીં આપણે વાત કરવાના છીએ.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર અષ્ટમીના દિવસે ગ્રહોનો મહાસંયોગ થઈ રહ્યો છે અને તમારી જાણ માટે કે પૂરા 700 વર્ષ આ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે સાત ગ્રહો ચાર રાશિઓમાં સંક્રમણ કરશે અને આ ગ્રહોના સંક્રમણના પ્રભાવથી એક મહાન સંયોગ સર્જાઈ રહ્યો છે. આવો જાણીએ કઈ રાશિ માટે આ યોગ મહાઅષ્ટમી તિથિએ શુભ સાબિત થવાનો છે.
દેવગુરુ ગુરુ અત્યારે સ્વરાશિ મીન રાશિમાં બિરાજમાન છે. બુધ મેષ રાશિમાં સંક્રમણ કરશે. બીજી તરફ, સૂર્ય મીન રાશિમાં છે અને શનિ તેની પોતાની રાશિ કુંભ રાશિમાં છે. શુક્ર મેષ રાશિમાં સંક્રમણ કરશે, જ્યાં રાહુ પહેલેથી જ બેઠો છે. ગ્રહોના આ સંયોગથી માલવ્ય, કેદાર, હંસ અને મહાભાગ્ય યોગ જેવા અનેક રાજયોગો બનવાના છે.
મુંબઈના એક જ્યોતિષીના જણાવ્યા અનુસાર મેષ રાશિમાં શુક્રના સંક્રમણને કારણે માલવ્ય યોગ રચાય છે. મીન રાશિમાં હંસ યોગ અને ચરોતરમાં સૂર્ય હોવાના કારણે મહાભાગ્ય યોગ બની રહ્યો છે. તમારી જાણ માટે કે આ રાજયોગ 700 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આ મહાન યોગોની રચનાથી ઘણી રાશિઓના લોકોને વિશેષ લાભ મળશે.
તમારી જાણ માટે 4થી માર્ચે, શુક્ર ગોચર કર્યા પછી, તે મેષ રાશિમાં બેઠા છે. શુક્ર મેષ રાશિમાં પ્રવેશે ત્યારે માલવ્ય યોગ બની રહ્યો છે. આ યોગની શુભ અસર કન્યા રાશિના જાતકો પર જોવા મળશે. બીજી તરફ મિથુન રાશિના જાતકો માટે માલવ્ય અને હંસ રાજ યોગ વિશેષ ફળદાયી રહેશે.
આ સિવાય મીન રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત મહાભાગ્ય યોગથી થશે. જેના કારણે તમામ રાશિના લોકોના ભાગ્યનો સિતારો ચમકશે અને લોકોને દેવી-દેવતાઓના આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -