નવનીત રાણાએ દિલ્હીમાં કર્યા હનુમાન ચાલીસાના પાઠ, કહ્યું મહારાષ્ટ્રને ઉદ્ધવ ઠાકરેથી મુક્તિ અપાવવા કરી રહ્યા છીએ પાઠ

મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન સામે હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ વિવાદમાં સપડાયેલ મહારાષ્ટ્રના અમરાવતીથી સંસદ નવનીત રાણાએ આજે ફરીથી દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આવેલા હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. નવનીત રાણા સાથે તેમના પતિ અને મહારષ્ટ્રના વિધાનસભ્ય રવી રાણા પણ ઉપસ્થિત હતા. હનુમાન ચાલીસાના પાઠ બાદ તેઓ હનુમાનજીની મહાઆરતી પણ કરશે.
રાણા દંપતિ એ જણાવ્યું હતું કે રાણા દંપતિ કોઈના રીમોટ કંટ્રોલથી નથી ચાલતા, બીજેપીના પણ નહિ. તેમણે જણાવ્યું હતું કે આજે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે રેલી કરી રહ્યા છે ત્યારે અમે મહારાષ્ટ્રને ઉદ્ધવ ઠાકરેના સાશનથી મુક્તિ અપાવવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છીએ. મહારાષ્ટ્રમાંથી શકુની અને અપશકુનીને હટાવવા હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ.
#WATCH | Amravati MP Navneet Rana recites Hanuman Chalisa at Hanuman Temple, CP in Delhi. Her husband & Maharashtra MLA Ravi Rana also present with her.
They were arrested in April and later released on bail over the row to recite Hanuman Chalisa outside Maharashtra CM's house. pic.twitter.com/9yQZHkqlMt
#WATCH | Amravati MP Navneet Rana recites Hanuman Chalisa at Hanuman Temple, CP in Delhi. Her husband & Maharashtra MLA Ravi Rana also present with her.
— ANI (@ANI) May 14, 2022
They were arrested in April and later released on bail over the row to recite Hanuman Chalisa outside Maharashtra CM's house. pic.twitter.com/9yQZHkqlMt
નવનીત રાણા જણાવ્યું હતું કે જયારે હું જેલમાં હતી ત્યારે દરરોજ હનુમાન ચાલીસના ૧૦૧ પાઠ કરતી હતી. હું નથી ઈચ્છતી કે કોઈ નિર્દોષ જેલમાં જાય.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન સામે હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ ગત ૨૩મી એપ્રિલે નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો.