રાજકોટમાં મહિલા પોલીસ બાળકોને ઘોડિયાઘરમાં મૂકી ડ્યૂટી કરશે

(પ્રવિણ સેદાણી)
------
( અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: મહિલા કર્મચારીઓ અને તેમના બાળકોને ધ્યાનમાં રાખી ગુજરાતમાં પ્રથમ ઘોડિયાઘર રાજકોટ પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. જેને ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. હવે મહિલા પોલીસ પોતાના બાળકોને ઘોડિયાઘરમાં મૂકી ચિંતામુક્ત બની ડ્યૂટી કરી શકશે. પોતાનું બાળક શું કરે છે તે મહિલા પોલીસ સીસીટીવીના માધ્યમથી પોતાના મોબાઈલમાં જોઇ પણ શકશે. રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને ધ્યાનમાં રાખી મહિલા કર્મચારીઓના પરિવારને ધ્યાનમાં રાખી ખાસ ‘વાત્સલ્ય અમૃત ઘોડિયાઘર’ તૈયાર કરવામાં આવ્યું છે. પોલીસ પરિવારના બાળકો એકલા ન રહે અને ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારી ફરજ પર જાય ત્યારે પોતાના બાળકોની ચિંતા ન રહે અને સારી રીતે નોકરી કરી શકે તે માટે આ ઘોડિયાઘર બનાવવામાં આવ્યું છે. ઘોડિયાઘરમાં બાળકોને સારું વાતાવરણ મળી રહે તે માટે તેઓની દેખભાળ માટે ખાસ બે આયા બહેનો રાખવામાં આવી છે. તેમજ એક મહિલા પોલીસ કર્મચારીની પણ ત્યાં ફરજ ફાળવવામાં આવી છે. જેમના દ્વારા બાળકોને સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણમાં તેઓની દેખભાળ રાખવામાં આવશે. હાલ ઘોડિયાઘરમાં ૫૦ જેટલા બાળકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમને સવારે ૧૦થી સાંજના ૬ વાગ્યા સુધી અહીંયા રાખવામાં આવે છે. ઉ