Homeઆમચી મુંબઈમની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ ગૃહપ્રધાન દેશમુખના સહાયક કુંદનને જામીન મળ્યા

મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ ગૃહપ્રધાન દેશમુખના સહાયક કુંદનને જામીન મળ્યા

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના સહાયક કુંદન શિંદેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તપાસ કરી રહેલા મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે કુંદનને ગુનેગાર સાબિત કરવાની સંભાવના ખૂબ ઓછી છે. શિંદે હાલમાં અદાલતી કસ્ટડીમાં છે. તેમને સમાનતાના આધારે રાહત આપવામાં આવી હતી, કારણ કે આ કેસમાં તેના સહ-આરોપી દેશમુખ અને ભૂતપૂર્વ એનસીપીના પ્રધાનના અન્ય સહયોગી સંજીવ પાલાંડે પહેલેથી જ જામીન પર બહાર છે. જોકે શિંદે જેલમાં જ રહેશે, કારણ કે તેઓ સીબીઆઈ દ્વારા તપાસ કરી રહેલા ભ્રષ્ટાચારના કેસમાં પણ આરોપી છે. સ્પેશિયલ જજ આર.એન. રોકડેએ મની લોન્ડરિંગ કેસમાં તેમના જામીન મંજૂર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular