એર ઈન્ડિયા નેવાર્ક (યુએસ)-દિલ્હી ફ્લાઈટ (AI106) નું લગભગ 300 મુસાફરો સાથે બુધવારે ટેકનિકલ ખામી સર્જાતા સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
બોઇંગ 777-300ER એરક્રાફ્ટ દ્વારા સંચાલિત ફ્લાઇટને એક એન્જિનમાં ઓઇલ લીક થવાને કારણે ડાયવર્ટ કરવામાં આવી હતી.
તમામ મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હોવાથી મોટી સંખ્યામાં ફાયર એન્જિન એરપોર્ટ પર તૈનાત હતા.
ઓઈલ લીક થવાને પગલે એન્જિન બંધ થઈ ગયું હતું અને બાદમાં ફ્લાઈટ સ્ટોકહોમમાં સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી, એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન દરમિયાન, એન્જિન બેના ડ્રેઇન માસ્ટમાંથી તેલ નીકળતું જોવા મળ્યું હતું, અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે.
આ પહેલા સોમવારે ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે લંડન ડાયવર્ટ કરવામાં આવી હતી.
Air India Newark (US)-Delhi flight (AI106) with nearly 300 passengers made an emergency landing at Sweden’s Stockholm airport after it developed a technical snag. All passengers safe. A large no.of fire engines were deployed at the airport as the flight made an emergency landing pic.twitter.com/Rdwfg9VOgx
— ANI (@ANI) February 22, 2023
“>
બીજી તરફ, દિલ્હી એરપોર્ટ પર મંગળવારે (21 ફેબ્રુઆરી) મોડી રાત્રે મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ચાર કલાકથી વધુ મોડી પડતા મુસાફરો અને એરલાઈન સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દિલ્હી-મુંબઈ ફ્લાઈટમાં સવાર એક પેસેન્જરે જણાવ્યું કે ફ્લાઈટ AI-805નો સમય રાત્રે 8 વાગ્યાનો હતો પરંતુ તેને ત્રણ વખત બદલવામાં આવ્યો હતો. ફ્લાઇટ લગભગ 12.30 વાગ્યે ટેકઓફ થઈ હતી.