Homeદેશ વિદેશG20 સમિટ પહેલા અમૃતસરને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું

G20 સમિટ પહેલા અમૃતસરને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું

અમૃતસરમાં સુરક્ષા વધારવા માટે G20 મીટિંગના સ્થળો, રોકાણના સ્થળો અને માર્ગોને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને ડ્રોન તથા માનવરહિત હવાઈ વાહનોના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. G20 સમિટના સંબંધમાં VVIP અને વિદેશી પ્રતિનિધિઓની અવરજવરને ધ્યાનમાં રાખીને, અમૃતસર કમિશનરેટ પોલીસે બુધવારે 21 માર્ચ સુધી સમગ્ર વિસ્તારમાં ડ્રોન અને માનવરહિત હવાઈ વાહનોના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.
પ્રતિબંધમાં G20 એજ્યુકેશન વર્કિંગ ગ્રૂપની બેઠકોના સ્થળો, પ્રતિનિધિઓ જ્યાં રોકાયા છે તે સ્થાનો અને તેઓ જે માર્ગો પર મુસાફરી કરશે તેનો પણ સમાવેશ થાય છે.અમૃતસરમાં બીજી એજ્યુકેશન વર્કિંગ ગ્રુપ (Ed WG) મીટિંગનું આયોજન થયું છે. G20ના સભ્ય દેશો, અતિથિ દેશો અને આમંત્રિત સંગઠનો (OECD, UNESCO અને UNICEF) અહીં ચાલનારા ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભાગ લેશે.

amritsar g20
Protesters holding placards against the G20 summit in Amritsar. (Photo: Prabhjot Singh/India Today)

શ્રમ અંગેની L20 બેઠક 19-20 માર્ચે યોજાવાની છે. અગાઉ, ચંદીગઢ વહીવટીતંત્રે શહેરને ડ્રોન સહિત માનવરહિત એરિયલ વાહનો (UAV) માટે નો-ફ્લાય ઝોન જાહેર કર્યું હતું.જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે તાજેતરના આતંકવાદી હુમલાઓને કારણે ઉભરતા જોખમોને લઇને રાષ્ટ્રીય તત્વો અને VVIPs અને સામાન્ય જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં 27 માર્ચથી 1 એપ્રિલ સુધી ડ્રોન અને યુએવી માટે નો-ફ્લાય ઝોન રહેશે .હાલમાં જ આ વિસ્તારમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ સાથે ફીટ કરાયેલા ડ્રોનનો ઉપયોગ વિરોધીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, આ આદેશ પોલીસ, અર્ધલશ્કરી દળો, IAF અને SPG કર્મચારીઓ સહિત કાયદા અમલીકરણ એજન્સીઓને લાગુ પડશે નહીં. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)એ G20 કાર્યક્રમોમાં વિક્ષેપ પાડવાની ધમકી આપી હતી. આ ધમકીઓને પગલે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular