હિંડનબર્ગનો રીપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ભારતીય રિઝર્વ બેંકે(RBI) દેશની બેંકો પાસેથી અદાણી ગ્રુપ સાથેના તેમના એક્સપોઝર વિશે માહિતી માંગી છે. સરકાર અને બેંકિંગ સેક્ટરના સૂત્રોએ જણાવ્યું હતું કે RBIએ વિવિધ બેંકોને અદાણી જૂથમાં તેના રોકાણ અને આપેલી લોન વિશે માહિતી આપવા જણાવ્યું છે.
હાલમાં અદાણી ગ્રુપના શેરમાં આવેલા ઉતાર-ચઢાવ બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ પગલું ભર્યું છે. અદાણી ગ્રુપે ગઈ કાલે જ FPO પાછો ખેંચી લીધો હતો. ગુરુવારે સવારે શેરબજાર ખુલ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે RBI અદાણીના શેરમાં આવેલા નાટકીય ઉતાર-ચઢાવ વચ્ચે બેંકોની નાણાકીય સ્થિતિ સારી રહે તે સુનિશ્ચિત કરવા માંગે છે અને વિવિધ બેંકોમાંથી અદાણી જૂથમાં તેમના દ્વારા આપવામાં આવેલી લોન અને રોકાણોની માહિતી મેળવીને તપાસ કરાશે.
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગ રિપોર્ટ સાર્વજનિક થયા બાદ કંપનીના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. દરમિયાન અદાણી ગ્રુપે પણ તેનો FPO પાછો ખેંચી લેવાનો નિર્ણય લીધો છે.