સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રહલ્લાદજી વ્યાસ (ટીન્ટોઇ)
गोभिर्विप्रैश्च दानैश्च, सतिभिः सत्यवादि भिः॥
कृतज्ञैः शूरवीरैश्च, सप्तभिर्धार्यते मही ॥ 9॥
ભાવાર્થ:-
ગાયોના રક્ષણના પુણ્ય પ્રભાવથી, વેદશાસ્ત્રજ્ઞ બ્રાહ્મણોના પુણ્ય પ્રભાવથી, દાનવીરોથી, સતી સ્ત્રીઓના પ્રભાવથી, સત્યનું આચરણ કરનાર પુરુષોથી, ઉપહારને ન ભૂલનાર કૃતજ્ઞી પુરુષોના પુણ્ય પ્રભાવથી અને સંપૂર્ણ પરિવારનો ત્યાગ કરી દેશને માટે શહીદ થનાર શૂરવીરોથી, આ સાત તત્ત્વોના પુણ્યથી પૃથ્વી ધારણ થઈ રહી છે એટલે કે ટકી રહી છે.