દિવસમાં આ પાંચ પાન ખાઓ ને રહો તાજામાજા

 આરોગ્ય જાળવવા માટે આપણે ઘમા પ્રયત્નો કરીએ છીએ, છતાં બીમારીનો ભોગ બનીએ છીએ

હેલ્ધી રહેવા માટે જે પોષકતત્વો શરીરને જોઈએ છે, તે તમામ એક જ દિવસમાં લેવાનું આપણા બધા માટે શક્ય નથી હોતું

પણ દિવસમાં માત્ર પાંચ પાન એટલે કે પત્તા ખાવાના હોય તો? હા તમારા ઘરમાં જ તમને આ પાન મળી રહેશે જે તમને હેલ્ધી રાખશે

સૌથી પહેલા આંગણે વાવેલી તુલસીના પાન. એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટિઑક્સિડેન્ટ ચાર-પાંચ પાન તમારે રોજ સવારે ખાવાના છે

ત્યારબાદ જેનો વઘાર કરો છો તે કરીપત્તા એટલે કે મીઠા લીમડાના પાન તમારે ખાવાના છે એટલે તમને ફાયબર, આયર્ન અને વિટામિન સી મળી જશે

ત્યારબાદ સલાડમાં થોડો સરગવાના પત્તા નાખી દો એટલે તમારો પ્રોટીન, વિટામિન એ અને કેલ્શિયમનો આજનો ક્વોટા તમને મળી જશે

આ સાથે વિટામિન એ, સી અને કે માટે તમારે ફુદીના અને કોથમિરના પાન ખાવાના છે. કોથમિર તો તમે દાળશાકમાં નાખશો અને ફુદીનાવાળી ચા કે સ્મુધી પી શકો

જો તમે રોજ સલાડમાં પાલકનો ઉપયોગ કરશો તો આયર્ન અને ફાયબર તો મળશે જ આ સાથે હિમોગ્લોબિન પણ વધશે. 

આ તમામ પાન તમારી પાચનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તમે શરીરથી સ્વસ્થ રહો છો તો મન પણ આનંદમાં રહે છે 

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...