ઉપવાસ પહેલા અને પછી આ વાતોનું ધ્યાન રાખજો

 ધર્મ, આર્યુવેદ કે તબીબી વિજ્ઞાનમાં ઉપવાસને જરૂરી બતાવ્યો છે. દર અઠવાડિયે અથવા પખવાડિયે એક ઉપવાસ શરીર માટે જરૂરી છે

આ સાથે ઉપવાસના દિવસે ફરાળના નામે વિવિધ વ્યંજનો ન ખાતા, માત્ર પ્રવાહી અને ફળ પર જ રહેવું પણ એટલું જરૂરી છે

પણ આના કરતા પણ વિશેષ તમારે ઉપવાસ કર્યો છે તે દિવસ પહેલા અને પછી પણ ખાવાપીવાની પરેજી પાળવાની છે, તો ચાલો જાણીએ

ઉપવાસ પહેલાના દિવસે મસાલાવાળું ખાવાનું ન ખાતા ખિચડી, થૂલી, સરગવાનું સૂપ, છાશ, માપસરનું દૂધ અને બે-ત્રણ ગાંગડા ગોળ ખાવો

ઉપવાસ છોડ્યા બાદ પેટ ભરીને ન ખવાનું નથી, પરંતુ પ્રવાહી, મગનું પાણી વગેરે લઈ ધીમે ધીમે ભૂખ સંતોષવાની છે

ઉપવાસ બાદ ખાવ પર તૂટી પડવાથી પાચનતંત્ર પર ભાર પડે છે અને ફાયદો થવાને બદલ નુકસાન થાય છે

જેમને કફ, શરદી ઉધરસ, પિત્ત, પાચનસંબંધી સમસ્યા હોય તેમણે અચૂક ઉપવાસ કરવો જોઈએ, તેમની માટે આ દવાનું કામ કરશે

અનિદ્રા, વધુ પડતા અશક્ત, ડાયાબિટિક, પિત્ત, માઈગ્રેન, સ્ટ્રેસ વગેરેના દરદીઓએ ઉપવાસ કરવાનું ટાળવું, પણ ખાવા પર નિયંત્રણ રાખવું