Homeટોપ ન્યૂઝશોપિયાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર, AK-47 સહિત હથિયારો મળી આવ્યા

શોપિયાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર, AK-47 સહિત હથિયારો મળી આવ્યા

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના મુંઝ માર્ગ વિસ્તારમાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. ADGP કાશ્મીરે માહિતી આપી છે કે લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી બેની ઓળખ લતીફ લોન અને ઉમર નઝીર તરીકે થઈ છે.
લતીફ લોન કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટની હત્યા અને ઉમર નઝીર નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. આતંકીઓ પાસેથી એક AK 47 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી છે.

“>

ગયા મહિને નવેમ્બર 11, 2022ના રોજ એક પાકિસ્તાની આતંકવાદી જેણે મદરેસામાં વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા હતા, તેને સુરક્ષા દળોએ શોપિયાંના કપરાન ગામમાં એક ઓપરેશનમાં ઠાર માર્યો હતો. આતંકીની ઓળખ કામરાન ભાઈ ઉર્ફે અનીસ તરીકે થઈ છે, જે જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular