અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રા પહેલા બુધવારે જમાલપુર ખાતે આવેલા મંદિરમાં ભગવાનની નેત્રોત્સવવિધિ યોજાઈ હતી. વહેલી સવારે ભગવાનને ગર્ભગૃહમાં બેસાડવામાં આવ્યા હતા. બુધવારની વહેલી સવારે ૮ વાગ્યે ભગવાનની નેત્રોત્સવવિધિ શરૂ થઈ હતી. ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતાં. મંદિરના મહંતશ્રીએ ભગવાનની પૂજાવિધિ કરી હતી. ( તસવીર: જનક પટેલ, અમદાવાદ)
