Homeઆમચી મુંબઈમુંબઈગરાના માથા પર એક મહિનો ૧૫% પાણીકાપ

મુંબઈગરાના માથા પર એક મહિનો ૧૫% પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભર ઉનાળે મુંબઈગરાના માથા પર ૧૫ ટકા પાણીકાપ લાદવામાં આવ્યો છે. થાણેમાં બોરવેલના ખોદકામને કારણે મુંબઈ મહાનગરપાલિકાની વોટર ટનલને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેને કારણે પાઈપલાઈનમાં ગળતર ચાલુ થઈ ગયું છે. તેથી તેનું સમારકામ ૩૧ માર્ચથી ચાલુ કરવામાં આવવાનું છે. તેથી સમગ્ર મુંબઈમાંં ૩૧ માર્ચથી આગામી ૩૦ દિવસ સુધી એટલે કે એક મહિના સુધી ૧૫ ટકા પાણીકાપ રહેશે. તેથી નાગરિકોને પાણીનો સંભાળીને ઉપયોગ કરવાની અપીલ પાલિકાએ કરી છે.
મુંબઈમાં હજી બે દિવસ પહેલાં જ મુુલંડ જકાત નાકા પાસે પાઈપલાઈનમાં ભંગાણ પડતાં પૂર્વ ઉપનગર અને શહેરમાં બે દિવસ માટે પાણીકાપ લાદવામાં આવ્યો હતો, તેમાં હવે મુંબઈને પાણીપુરવઠો કરનારી વોટર ટનલમાં થાણે પરિસરમાં બોરવેલના ખોદકામને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ખોદકામને કારણે વોટર ટનલમાં ગળતર ચાલુ થઈ ગયું છે.
પાલિકાના જણાવ્યા મુજબ આ ગળતરનું સમારકામ ૩૧ માર્ચ, ૨૦૨૩થી કરવામાં આવવાનું છે. તેથી મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં થનારા પાણીપુરવઠામાં ૩૧ માર્ચ, ૨૦૨૩થી આગામી ૩૦ દિવસ સુધી ૧૫ ટકા પાણીકાપ રહેશે. એ સાથે જ પાલિકા દ્વારા થાણેને કરવામાં આવતા પાણીપુરવઠાને પણ આ કાપ લાગુ પડશે.
———–
મુખ્ય સપ્લાય લાઈનને નુકસાન
મુંબઈ મહાનગરપાલિકા અંતર્ગત મુંબઈ શહેર અને ઉપનગરને કુલ પાણી પુરવઠામાંથી ૬૫ ટકા પાણીપુરવઠો ભાંડુપ કૉમ્પલેક્સમાં આવેલા વોટર ફિલ્ટર પ્લાન્ટમાંથી કરવામાં આવે છે. આ કેન્દ્રને થનારો ૭૫ ટકા પાણીપુરવઠો મુખ્યત્વે ૫,૫૦૦ મિલીમીટર વ્યાસની ૧૫ કિલોમીટર લંબાઈના વોટર ટનલમાંથી કરવામાં આવે છે. આ વોટર ટનલને બોરવેલના ખોદકામને કારણે નુકસાન થયું છે.
———–
કેમ ૧૫ ટકા પાણીકાપ?
પાલિકાના પાણીપુરવઠા ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ આ જમીનની નીચે રહેલી પાઈપલાઈનમાં રહેલા ગળતરને કારણે અત્યાર સુધી હજારો લિટર પાણી વેડફાઈ ગયું છે. ગળતરને રોકવા માટે સમારકામ કરવા માટે વોટર ટનલને પૂર્ણપણે બંધ કરવી આવશ્યક થઈ ગઈ છે. તેથી આ સમય દરમિયાન પર્યાયી પાઈપલાઈન દ્વારા ભાંડુપ કૉમ્પલેક્સમાં આવેલા વોટર ફિલ્ટર પ્લાન્ટમાં પણી લાવવામાં આવશે. પર્યાયી પાણીપુરવઠો વ્યવસ્થા ચાલુ કરવા માટે અમુક અત્યાવશ્યક ફેરફાર કરવા આવશ્યક છે. પર્યાયી વ્યવસ્થાને પણ અમુક ટૅક્નિકલ કારણથી પૂર્ણ ક્ષમતાએ વાપરી શકાશે નહીં. તેથી હાલ ભાંડુપ કૉમ્પલેક્સમાં જેટલા પ્રમાણમાં પાણી પર પ્રક્રિયા થાય છે, તેટલા પ્રમાણમાં પાણી પર પ્રક્રિયા શકય નહીં હોય. તેથી ૩૦ દિવસ માટે ૧૫ ટકા પાણીકાપ લાદવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -