Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ અબ્રામા હાલ મલાડના ગં. સ્વ. હંસાબેન કાંતિલાલ પટેલના સુપુત્ર જીતેન્દ્રભાઈ (જીતુભાઈ) પટેલ (ઉં. વ. ૪૬) શનિવાર, તા. ૨૯-૧૦-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે નીતાબેનના પતિ. કાંતાબેન સુમનભાઈના જમાઈ. પ્રીતિ, ભાવના, માલતીના ભાઈ. તે જગદીશભાઈ, પ્રફુલભાઈ, મીતુલભાઈના સાળા. તેમનું બેસણું બુધવાર, તા. ૨-૧૧-૨૨ના તથા પુચ્છપાણી બુધવાર, તા. ૯-૧૧-૨૨ના ૩ થી ૫. રે. ઠે.: ગામ ખરસાડ ઓરી ફળિયું ખાતે રાખવામાં આવેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ બડોલી હાલ મુલુંડ ગં. સ્વ. જયાબેન હરિપ્રસાદ રાવલ (ઉં.વ. ૮૭) તે ડાહીબેન દામોદર ભટ્ટના સુપુત્રી. સુશીલાબેન, અનંતરાયના મોટાબેન. છાયા આલ્ફ્રેડ, ફાલ્ગુની મોહન, પારુલ રઘુરાજના માતૃશ્રી. તે કલ્પના અશોક ભટ્ટ, કુંદન હર્ષદ જોષીના ભાભી. તે તેજસ, ધનશ્રી, રાહુલ, તરુણ, નાગેશ્રી, કિરણના નાની તા. ૨૯/૧૦/૨૨ શનિવારના દેવલોક પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
સ્વ. અમૃતબેન તથા સ્વ. મગનલાલ દેવચંદ નથવાણીના પુત્ર સુરેશભાઈ (ઉં.વ. ૬૫) તે ૩૦/૧૦/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે કવિતાબેનના પતિ. સપના સમીરકુમાર રૂપારેલિયા તથા અંકિતા ધવલકુમાર ભાટિયાના પિતા. નવીનભાઈ, બિપીનભાઈ, સ્વ. કનુભાઈ, પ્રીતિ કિરણકુમાર દત્તાણીના ભાઈ. સ્વ. મથુરાદાસ પરષોત્તમદાસ અઢિયાના જમાઈ. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧/૧૧/૨૨ના રોજ ૪ થી ૬ કલાકે પાટીદાર વાડી, એલ.બી. એસ માર્ગ, સર્વોદય હોસ્પિટલની બાજુમાં, ઘાટકોપર વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
જેતપુર હાલ કાંદિવલી સ્વ. વ્રજકુંવરબેન નરભેરામ ઝવેરીના પુત્ર જયંતીલાલ (ઉં.વ. ૬૮) તે ૨૯/૧૦/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે જ્યોતિબેન ના પતિ. પ્રીતિ તથા ખ્યાતિના પિતા. જીગરકુમાર ગુણવંતરાય શાહ તથા નિશિલ તરુણકુમાર શાહના સસરા. સાસરા પક્ષે સ્વ. પુષ્પાબેન હિંમતલાલ શેઠના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ઘાંટવડ હાલ બોરીવલી સ્વ. સવિતાબેન તથા સ્વ. શિવલાલ નાગરદાસ ગાંધીના પુત્ર ચંદ્રકાન્ત (ઉં.વ. ૬૯) તે ૨૯/૧૦/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે હસ્મિતાબેનના પતિ. સ્વ. રીનલના પિતા. પ્રદીપ, સ્વ. રાજેન્દ્ર, સ્વ. કલ્પના હસમુખભાઈ મહેતાના ભાઈ. સ્વ. રમણીકલાલ ચતુરલાલ ભાયાણીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા હાલ બોરીવલી હસમુખભાઈ (ઉં.વ. ૬૩) તે સ્વ. હિંમતલાલ ગંગાદાસ મહેતા તથા સ્વ. કૈલાશબેનના પુત્ર તા. ૩૦-૧૦-૨૨ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કલ્પનાબેનના પતિ. જીગરના પિતાશ્રી. તે અરુણભાઈ, રાજેન્દ્રભાઈ, સ્વ. જ્યોતિબેન મહેતા, ગંગા સ્વ. હંસાબેન દોશી, સરોજબેન મહેતા, કનકબેન મોદી, સ્વ. જાગૃતિબેન મહેતા, હર્ષાબેન શાહના ભાઈ. તે સ્વ. શિવલાલ નાગરદાસ ગાંધીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સાવરકુંડલા હાલ મલાડ સ્વ. લીલાવંતી કાંતિલાલ મોદીના પુત્ર મનમોહનદાસ મનુભાઈ (ઉં.વ. ૮૬) તે ઇન્દુમતીના પતિ. ભરત, રશ્મિ વિપુલ સંઘવી તથા નીતાના પિતા. સ્વ. રમેશચંદ્ર-સ્વ. કુંદનબેન, જયેશ-અ.સૌ. ભાવનાબેન, સ્વ. રમીલાબેન લીલાધર પારેખ, સ્વ. ભારતી ભરતકુમાર પારેખના ભાઈ. સાસરાપક્ષે સાવરકુંડલાવાળા હરીશભાઈ મગનલાલ ત્રિભોવનદાસ મહેતા, ભારતી સુરેશ ગોરડિયા, કોકિલા મહેશ હકાની, રમીલા દિલીપ વોરાના બનેવી. તે તા. ૩૦/૧૦/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧/૧૧/૨૨ના રોજ ૫ થી ૭ કલાકે કપોળ બેન્કવેટ હોલ, રામચંદ્ર લેન, કાચપાડા, મલાડ વેસ્ટ.
કપોળ
અભરામપરા હાલ ભાવનગર સ્વ. ત્રિવેણીબેન અનંતરાય વિરજી સંઘવીના પુત્ર નિતીનભાઈ (ઉં. વ. ૬૯) તા. ૨૫-૧૦-૨૨ના ભાવનગર મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે નયનાબેન (જ્યોત્સનાબેનના) પતિ. સમીરના પિતા, ભાવિકાના સસરા. સ્વ. કિર્તીભાઈ, ભરતભાઈ, કૌશલભાઈ, કપિલાબેન ભરતકુમાર શેઠ, શારદાબેન અરવિંદકુમાર મેહતાના ભાઈ. સાદડી પ્રથા બંધ છે.
કપડવણજ દશા પોરવાડ
મુંબઈ નિવાસી જયેન્દ્ર પરીખ (ઉં.વ. ૯૬) સ્વ. ઓચ્છવલાલ કાલીદાસ અને પરસનબેન પરીખના સુપુત્ર. શ્રીમતી પદમાબેન પરીખના પતિ. શ્રીમતી રીટા અનિલ શ્રોફ અને શ્રીમતી લીના ધીરેન પરીખના પિતા. તે સ્વ. અંબાલાલભાઈ, સ્વ. પ્રમોદભાઈ અને સ્વ. હસમુખભાઈના ભાઈ તા. ૩૦.૧૦.૨૨ના રોજ કાંદિવલી મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
વિજયસિંહ પોરેચા (ઉં.વ. ૮૯) તે હંસાબેનના પતિ. સ્વ. લક્ષ્મીબાઈ વાલજી પોરેચાના પુત્ર. સ્વ. ભાવિનના પિતા. સ્વ. ગંગાબાઈ ગોપાલદાસ પૂંજા (ખીમજી પૂંજાવાળા)ના જમાઈ. દીપા ભાવિન પોરેચાના સસરા. સ્વ. વસંત પ્રતાપ આશર, વીણા શાંતુકુમાર ટોપરાણી. મહેન્દ્ર, ભૂપેન્દ્ર, મલ્લિકા હેમેન્દ્ર આશર, સ્વ. સનાતન તથા નયના જયંત જસાણીના ભાઈ તે સોમવાર, તા. ૩૧.૧૦.૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી લોહાણા
ગં.સ્વ. ભગવતીબેન ગણાત્રા (ઉં.વ. ૭૨) ગામ અંજાર હાલે મુલુંડ તે સ્વ. હંસરાજ જમનાદાસ ગણાત્રાના પત્ની. તેમ જ સ્વ. મણીબેન જમનાદાસ ગણાત્રાના પુત્રવધૂ. તેમ જ સ્વ. લીલાવતી હેમરાજ બારૂઆના પુત્રી. તેમ જ બીજલ, મેહુલના માતુશ્રી. તેમ જ મમતા અને નીમેષ પ્રબોધભાઈ ગણાત્રાના સાસુજી રવિવાર, તા. ૩૦-૧૦-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષ તરફથી પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ
ગં.સ્વ. શારદાબેન (ઉં.વ. ૮૯) હાલ મુંબઈ, તે સ્વ. દુલેરાય કેશવલાલ પંડ્યાના ધર્મપત્નિ. તે સ્વ. મહેન્દ્ર, કિરીટ, હર્ષાબેનના માતુશ્રી. તે છાયાબેનના સાસુ. બિજલબેનના વડસાસુ. હર્ષ તથા શૈલના દાદીમાં. તે સ્વ. લાભુબેન જટાશંકર જાનીના દિકરી રવિવાર, તા. ૩૦-૧૦-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

RELATED ARTICLES

Most Popular