Homeઆમચી મુંબઈ'અમારા બંને વચ્ચે ઝઘડો થયો, મેં તેને પટકી અને તેની છાતી પર...

‘અમારા બંને વચ્ચે ઝઘડો થયો, મેં તેને પટકી અને તેની છાતી પર ચઢી બેઠો’ આફતાબનો એકરાર

મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લાના વસઈ વિસ્તારની રહેવાસી શ્રદ્ધા વાલકરની તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ હત્યા કરી હતી . તે તેની સાથે દિલ્હીના છત્તરપુર વિસ્તારમાં રહેતી હતી. શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે તેના મૃતદેહના 35 ટુકડા કરી બે દિવસ સુધી ફ્રિજમાં રાખ્યા હતા. આ પછી 18 દિવસ સુધી દરરોજ રાત્રે દિલ્હીના મહેરૌલી વિસ્તારના જંગલમાં એક-એક ટુકડો ફેંકીને પુરાવાને ભૂંસી નાખતો રહ્યો. મે મહિનામાં થયેલી ઘાતકી હત્યાનું રહસ્ય હવે સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં આફતાબે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે .આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધા મર્ડર કેસમાં પોલીસ પૂછપરછના જવાબો જાણીને તમારું દિલ ધ્રૂજી જશે. નવાઈની વાત એ છે કે તેને આ અંગે કોઈ અફસોસ નથી. તેણે કહ્યું છે કે તે ખૂબ જ ગુસ્સામાં હતો અને જ્યારે તેનું મન ઠંડું પડ્યું ત્યારે તેને ચિંતા હતી કે આ ઘટના વિશે કોઈને ખબર ન પડે.
આફતાબે પોલીસને જણાવ્યું હતું કે, ’18 મેના રોજ શ્રદ્ધા સાથે મારો ઝઘડો થયો હતો. અગાઉ પણ થતો હતો, પણ તે દિવસે થોડો વધારે થયો. મેં તેને નીચે પટકી દીધી અને તેની છાતી પર બેસી ગયો અને મારા બંને હાથ વડે તેનું ગળું દબાવી દીધું. થોડીવાર પછી તેનો શ્વાસ થંભી ગયો. મેં શ્રદ્ધાના મૃતદેહને બાથરૂમમાં મૂકી દીધો. હું 19મી મેના રોજ માર્કેટ ગયો હતો. સ્થાનિક બજારની કીર્તિ ઈલેક્ટ્રોનિક્સ શોપમાંથી 300 લીટર ફ્રીઝ લીધું હતું. બીજી દુકાનમાંથી આરી ખરીદી. રાત્રે આ જ બાથરૂમમાં લાશના ટુકડા કર્યા હતા. મેં થોડા દિવસો માટે રસોઇયા તરીકે કામ કર્યું હોવાથી ચિકન અને મટન ગ્રાઇન્ડ કરવાની તાલીમ લીધી હતી. 19 મેના રોજ મેં મૃતદેહના ટુકડા કરી નાખ્યા. તેમને પોલિથીનમાં ભરી તેને ફ્રીજમાં મૂકી દીધા. ત્યાર બાદ લગભગ 20 દિવસ સુધી, હું રાત્રે જંગલમાં જતો હતો અને થોડા ટુકડા ફેંકતો હતો.”

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -