Homeદેશ વિદેશWrestlers protest: બ્રિજભૂષણ સિંહે કર્યું વિવાદાસ્પદ નિવેદન, વિનેશ ફોગાટે આપ્યો જવાબ

Wrestlers protest: બ્રિજભૂષણ સિંહે કર્યું વિવાદાસ્પદ નિવેદન, વિનેશ ફોગાટે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ છેલ્લા એક મહિનાથી જંતરમંતર ખાતે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી એનો ઉકેલ આવ્યો નથી, ત્યારે આ વિવાદ વચ્ચે આજે બ્રિજભૂષણ શરણ સિંહે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.

બ્રિજભૂષણ સિંહે કુસ્તીબાજોને આડે હાથ લેતા કહ્યું હતું કે આ બેડ ટચ અને ગૂડ ટચ અસ્પૃશ્યતાનો મામલો છે. મહિલા રેસલર વિનેશ ફોગાટે એનો જવાબ આપતા કહ્યું હતું કે તે અસ્પૃશ્યતાની વાત કરીને મહિલાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

મઉના મુહમદાબાદના દેવલાસ મંદિરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે આ કેસ બેડ ટચ અને ગૂડ ટચના અસ્પૃશ્યતાનો છે. ગૂડ ટચ કર્યો કે ખોટો પડ્યો. મહિલા ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલા આરોપો પર ઝાટકણી કાઢતા તેણે મંચ પરથી કહ્યું હતું કે ‘ક્યારે થયું, ક્યાં થયું, શું થયું, કેવી રીતે થયું. આ વાત આજ સુધી ફોડ પાડવામાં આવ્યો નથી.

બ્રિજભૂષણ શરણ સિંહે પણ સંબોધન દરમિયાન નાર્કો ટેસ્ટ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગઈકાલે નાર્કો ટેસ્ટને લઈને ખાપ પંચાયત થઈ હતી અને તેમાં નિર્ણય લેવાયો હતો કે સાંસદનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. સાંજે મેં કહ્યું હતું કે જે ખેલાડીઓએ પહેલા આરોપ લગાવ્યા હતા તેમનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, તેથી જેથી કાવતરાખોરોને શોધી શકાય. જો શક્ય હોય તો તેની સાથે અમારો નાર્કો ટેસ્ટ પણ કરાવવો જોઈએ.

બ્રિજભૂષણ શરણ સિંહના નિવેદન પર મહિલા રેસલર વિનેશ ફોગાટે જવાબ આપ્યો છે. વિનેશ ફોગાટે કહ્યું હતું કે તે અસ્પૃશ્યતાની વાત કરીને મહિલાઓનું અપમાન કરી રહ્યો છે. તેમના ઘરમાં માતા, બહેન અને પુત્રીઓ પણ છે. જો તેમની સાથે આવી ઘટના બની હોત તો શું તેમણે અસ્પૃશ્યતાની વાત પણ કરી હોત? આ સાથે વિનેશે કહ્યું હતું કે તે સુપ્રીમ કોર્ટ નથી કે નાર્કો ટેસ્ટ કરવો કે નહીં એ નક્કી કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -