ભારતમાં ક્રિકેટની જેમ ફૂટબોલની લોકપ્રિયતા પણ ધીરે ધીરે વધી રહી છે. જ્યાં પહેલા ફક્ત ક્રિકેટનો દબદબો જોવા મળતો હતો તો ત્યા હવે ધીમે ધીમે અન્ય રમતો પ્રત્યે પણ જાગૃતિ વધી રહી છે. અત્યારે આમ તો ભારતમાં ફુટબોલનો એટલો ક્રેઝ જોવા મળતો નથી, પણ તેને પસંદ કરનારા લોકોની સંખ્યા પણ ખૂબ જ વધારે છે. ભારતીય ફુટબોલ ફેન્સ ઈચ્છે છે કે આર્જેન્ટીના, હોલેન્ડ, હંગરી, બ્રાઝીલ અને ડેનમાર્ક જેવા દેશોની જેમ ભારત પણ પોતાની ફુટબોલ ટીમ ધરાવતી હોય અને સફળતા મેળતા જોવે. પણ ભારત સુનીલ છેત્રીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાઈ કરી શકી નથી અને ક્વોલિફાઈ સ્ટેજના બીજા જ તબક્કામાં બહાર થઈ ગઈ.
FIFA શું છે?
ફીફાનું પૂરું નામ ફેડરેશન ઈન્ટરનેશનલ ફુટબોલ એસોસિએશન છે, જે ફુટબોલનું ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન છે. ફીફાના 211 દેશ સભ્ય છે. અલબત આટલા સભ્યો તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક મહોત્સવમાં પણ નથી. ફીફાનું આયોજન વર્ષ 1930થી થઈ રહ્યું છે.
ભારત શા માટે રમી રહ્યું નથી
ફીફા વર્લ્ડકપ ચાલુ છે ત્યારે આ વર્ષની આ ટુર્નામેન્ટની યજમાની કતાર કરી રહ્યું છે. ભારત માટે દુખની વાત એ છે કે 32 ટીમમાં ભારત ક્વોલિફાઈ કરી શક્યું નથી. સુનીલ છેત્રીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ફુટબોલ ટીમ ક્વોલિફાઈંગ સ્ટેજના બીજા રાઉન્ડમાંથી જ ફેકાઈ ગઈ હતી.
ફક્ત એક જ વખત ક્વોલિફાય થયું છે ભારત
ભારત અત્યાર સુધીમાં ફક્ત એક વખત જ ફુટબોલ વર્લ્ડકપ માટે ક્વોલિફાઈ થયેલું છે. તે સમયે બ્રાઝીલ ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું હતું અને તે વર્ષ હતું 1950નું. તે સમયે ભારતીય ટીમ ફુટબોલ ખુલ્લા પગે રમતી હતી અને ફીફા વર્લ્ડકપમાં ખેલાડીઓએ જૂતા પહેરીને મેચ રમવી જરૂરી હતા, આ સંજોગોમાં ભારતીય ટીમે ટૂર્નામેન્ટ રમવાનો ઈન્કાર કર્યો હતો. આજે ભારતીય ફુટબોલ ટીમ વિશ્વના 100 દેશમાં પણ સામેલ નથી. ભારત ફુટબોલમાં 106મું સ્થાન ધરાવે છે. ભારત ફીફા વર્લ્ડ કપમાં સામેલ નહીં થઈ શકવું તે ખોટનો સોદો છે, કારણ કે આ વખતે પ્રાઈઝની રકમ 440 મિલિયન ડોલર એટલે કે 3585 કરોડ છે. વિશ્વકપ વિજેતાને 342 કરોડ રૂપિયા મળશે.