મોબાઈલ આજકાલ માણસના જીવનમાં ઓક્સિજન જેટલો મહત્વનો થઈ ગયો છે. કામકાજ માટે કે મનોરંજન માટે કે સંદેશાવ્યવહાર માટે મોબાઈલનો ભરપૂર ઉપયોગ થાય છે. મોબાઈલનો ઉપયોગ કરતા સમયે આપણું ધ્યાન ઉપરની તરફ દેખાતા બેટરીના ચિત્ર પર હોય છે. ઘણા હજુ તો બેટરી 70થી નીચે આવે નહીં કે ચાર્જ કરવા મૂકી દે છે તો ઘણા ફોન બિચારો બંધ થઈ જાય ત્યારે ચાર્જ કરે છે. ઘણાને તો બેટરી વપરાઈને ફોન સ્વિચઓફ થઈ જાય ત્યાં સુધી ચાર્જિંગ સુઝતું જ નથી. દિવસભર ફોન પર રહેવા માટે તેને સારી રીતે ચાર્જ કરવો પણ જરૂરી છે. આપણામાંના ઘણા લોકો ગમે ત્યારે ફોન ચાર્જ પર મૂકી દે છે. પણ શું એમ કરવું યોગ્ય છે? ચાલો જાણીએ ફોન ચાર્જ કરવાનો યોગ્ય સમય કયો છે? તમારો મોબાઈલ કેટલો ચાર્જ હોવો જોઈએ. 20 ટકા, 50 ટકા કે પછી 100 ટકા.
મોબાઈલ સમયસર ચાર્જ ન કરો તો તેની બેટરી જલદી બગડવાની શક્યતા હોય છે. જો તમે સમયસર ફોન ચાર્જ ન કરો તો ફોન ઝડપથી બગડી જવાની પણ શક્યતા રહે છે. ફોન ક્યારે ચાર્જ કરવો જોઈએ તે અંગે ઘણા લોકો મૂંઝવણમાં હોય છે. જો તમે પણ મૂંઝવણમાં હોવ તો ચિંતા કરશો નહીં. આજે અમે તમને જણાવીશું કે ફોન કયા સમયે ચાર્જ કરવાનો હોય છે?
આખો દિવસ ફોનનો ઉપયોગ કરીએ છીએ, તેથી તેનો અર્થ એ નથી કે તમે તેની બેટરી હંમેશા ફુલ રાખો. જો તમે દિવસભર ફોનને ચાર્જમાં રાખો છો તો તેનાથી પણ ફોનને નુકસાન પણ થઈ શકે છે. તે જ સમયે ખૂબ જ ઓછી બેટરી હોય તો પણ મોબાઇલની બેટરીની લાઈફ પર પણ અસર પડે છે. એટલા માટે ફોનને યોગ્ય સમયે ચાર્જ કરવો ખૂબ જ જરૂરી છે.
આપણામાંથી ઘણાને લાગે છે કે મોબાઈલને 100% સુધી ચાર્જ કરવાથી આખો દિવસ આરામથી કામ કરી શકાશે. આ સાથે, તમારા ફોનની બેટરી પણ લાંબા સમય સુધી ચાલશે. પરંતુ કેટલાક નિષ્ણાતો માને છે કે ફોનને હંમેશા 100% સુધી ચાર્જ રાખવો યોગ્ય નથી. એટલા માટે તમે તેને માત્ર 80-90 ટકા ચાર્જ રાખો. જો તમે હંમેશા સંપૂર્ણ બેટરી રાખો છો, તો તે ફોનના લાઇફ પર અસર કરે છે. એટલા માટે ફોનને હંમેશા લગભગ 80-85 ટકા ચાર્જ રાખો.
ઘણા લોકો ફોન ચાર્જ પર ત્યારે મૂકે છે જ્યારે ફોન સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ જાય છે. જો તમે પણ આવું કરો છો, તો તમારો ફોન જલ્દી ખરાબ થઈ શકે છે. તેથી જ્યારે પણ ફોનની બેટરી 20%ચાર્જ હોય છે, તેને તરત જ ચાર્જિંગ પર મૂકો. જ્યારે 20 ટકા ચાર્જ થઈ જાય ત્યારે ઘણા ફોન તમને ચાર્જમાં મૂકવા માટે સૂચનાઓ પણ આપે છે અને તમે ઓછી બેટરી પણ બતાવે છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે તમારે તમારા ફોનને હંમેશા 20 થી 80 ટકાની વચ્ચે ચાર્જ રાખવો જોઈએ. આનાથી વધુ કે ઓછું રાખવાથી તમારા ફોનની બેટરી પર ખરાબ અસર પડે છે.