Homeદેશ વિદેશએર ઈન્ડિયાની ફ્લાઈટમાં પીપીકાંડઃ ચેરમેને આપ્યું નિવેદન

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પીપીકાંડઃ ચેરમેને આપ્યું નિવેદન

એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં એક પ્રવાસી દ્વારા મહિલા પર પેશાબ કરવાના કિસ્સામાં ટાટા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને રવિવારે નિવેદન કર્યું છે. ચેરમેને તેમનું નિવેદન વ્યક્ત કરતા કહ્યું છે કે આ કેસમાં એર ઈન્ડિયાનો રિસપોન્સ ઝડપથી આપવાનું જરુરી હતું.
એક નિવેદનમાં ચેરમેને કહ્યું છે કે આ કેસમાં અમારે જેટલી ઝડપથી ઉકેલ લાવવાનો હતો તે કરવામાં અમે નિષ્ફળ રહ્યા હતા. એના પૂર્વે એવિયેશન ઈન્ડસ્ટ્રીઝ પર નજર રાખનારી સરકારી સંસ્થા ડીજીસીએ પણ આ કેસમાં એર ઈન્ડિયાની ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદ ટાટા ગ્રૂપના ચેરમેનનું આ નિવેદન આવ્યું છે. આ કેસમાં એર ઈન્ડિયાની પ્રતિક્રિયા ઝડપી અને તાત્કાલિક આવવાનું જરુરી હતું. અહીં એ જણાવવાનું કે ગયા વર્ષે 26મી નવેમ્બરના એર ઈન્ડિયાની ન્યૂ યોર્કથી નવી દિલ્હીની ફ્લાઈટમાં દારુના નશામાં ધૂત એક શખસે એક મહિલા પ્રવાસી પર પેશાબ કર્યો હતો. મહિલા વયોવૃદ્ધ હતી અને આ બનાવ બિઝનેસ ક્લાસમાં બન્યો હતો. આ કેસમાં પેશાબ કરનારા આરોપી (શંકર મિશ્રા)ને દિલ્હી પોલીસે બેંગલોરથી ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -