અત્યારે ઋતુ બદલાઈ રહી છે અને સરસ મજાની ફૂલગુલાબી ઠંડી શરુ થઈ છે, પણ એની સાથે સાથે જ વાઈરલ્સની મૌસમની પણ ચાલી રહી છે. જો તમને પણ વારંવાર શરદી-ઉધરસ થતી હોય તો આજે અમે તમારા માટે અહીં કેટલાક એવા નુસખા લઈ આવ્યા છીએ કે જેની મદદથી તમે ચપટીમાં શરદી-ઉધરસથી છુટકારો મેળવી શકશો અને એની સાથે સાથે ઓરોગ્યને લગતી બીજી સમસ્યામાંથી પણ આ ઈલાજ રામબાણ ઉપાય સાબિત થઈ શકે છે.
- રોજ ઊંઘતા પહેલાં હળદરવાળું દૂધ પીવાનું રાખો એવી સલાહ ડોક્ટર આપે છે. આવું કરવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે.
- દૂધમાં કેલ્શિયમ હોય છે એટલે જોઈન્ટ્સ અને હાડકાં માટે પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
- ઉધરરસ ઉપરાંત લિવ્હરને શુદ્ધ રાખવામાં પણ હળદરવાળું દૂધ ખૂબ જ ફાયદાકારક છે.
- જો તમને ઈજા પહોંચી હોય કે પછી મૂઢ માર લાગ્યો હોય તો એવા સમયે હળદવાળુ દૂધ પીવાથી રાહત થાય છે.
હળદરવાળું દૂધ એક બ્યુટી કેયર પ્રોડક્ટ તરીકે પણ કામ કરે છે. ત્વચાને ચમકદાર બનાવવી હોય તો હળદરવાળું દૂધ એના માટે ફાયદાકારક છે. - ત્વચાની સાથે સાથે વાળને સુંદર બનાવવામાં પણ હળદરવાળું દૂધ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માથામાં ખોડો થતો હોય તો હળદરવાળું દૂધ પીવાથી તેમાંથી છુટકારો મળે છે.
- ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં પણ આ હળદરવાળું દૂધ મદદરુપ થાય છે.