(ઉત્તરાયણ સૌરશિશિરૠતુ), રવિવાર, તા. ૧૫-૧-૨૦૨૩
મકરસંક્રાન્તિ પર્વના સ્નાનાદિ ધાર્મિક નિયમપાલન
ભારતીય દિનાંક ૨૫, માહે પૌષ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ
વદ-૮
જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ વદ-૮
પારસી શહેનશાહી ૩જો અર્દીબહેશ્ત, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૭મો મેહેરસને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૩મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
નક્ષત્ર ચિત્રા રાત્રે ક. ૧૯-૧૧ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં સવારે ક. ૦૬-૪૭ સુધી, પછી તુલામાં, ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૪ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: સાંજે ક. ૧૭-૪૯, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૪ (તા. ૧૬), ઓટ: સવારે ક. ૧૧-૨૫, રાત્રે ક. ૨૩-૨૨, વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ કૃષ્ણ – અષ્ટમી. કાલાષ્ટમી, મકર સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત. મકરાદિસ્નાન, તૈલ સંક્રાંતિ, તૈપોંગલ (કેરાલા), પોંગલ (દક્ષિણ ભારત). શુભાશુભ દિનશુદ્ધિ: માંગલિક સાંસારિક કાર્યો વર્જ્ય છે. મુહૂર્ત વિશેષ: મકરસંક્રાન્તિ પર્વની ઉજવણીનો મહિમા. ધર્મ પર્વ શુભ દિન, વિશેષ રૂપે મગળ-સૂર્ય ગ્રહ દેવતાનું પૂજન, બિલીનું વૃક્ષ વાવવું. ગાયત્રીજાપ, ગાયત્રી હવન, પર્વ દિન હોઇ નવા વસ્ત્ર-આભૂષણ,વાસણ. મહેંદી લગાવવી,નીકા,માલ લેવો,નિત્ય થતાં દુકાન-વેપારનાં કામકાજ, સર્વશાંતી, શાંતી પૌષ્ટિક. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ભગવાન સૂર્યનારાયણને તલ-ગોળની વાનગી.મગની દાળની વાનગી,મગનીદાળનો શીરો આદિ મિઠાઇ સામગ્રી અર્પણ કરવાં, સંક્રાન્તિ પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્તમાં નવા વાસણો, અનાજ, તલ ગોળ, સોનું, ભૂમી, વસ્ત્ર, ઘોડા, ગાયનો ચારો ઇત્યાદિનું દાન દેવુ. પુણ્યકાળમાં તીર્થ પર્વ સ્નાન, દશવિધ પ્રાયશ્ર્ચિત સ્નાન, દાન, જપ, તપ, તર્પણ, પીંડ શ્રાદ્ધ, પિતૃ પૂજન નો મહિમા છે. માતાપિતાનું પૂજન કરવું. તથા વડિલોની સેવા કરવી. પુણ્યકાળમાં તલ મિશ્રિત જળથી સ્નાન કરવું.પ્રાત:માં તલનાં તેલથી અભ્યંગ સ્નાન કરવું, તલનો હવન કરવો. તલમિશ્રિત જળ પીવું. ભોજનની વાનગીઓમાં તલ ખાવા, તલગોળની ચિકીના લાડુનું દાન દેવું. બ્રાહ્મણ દ્વારા ભગવાન સપ્તશતી પાઠ, નવચંડી હવન, વિષ્ણુ-લક્ષ્મી, શ્રી સૂર્યનારાયણ, શિવ-પર્વતી પૂજા, રુદ્રાભિષેક, શ્રી યંત્રપૂજા, બ્રહ્મલીન હરિહરપંડિત મહેસાણાવાળા રચિત રિદ્ધિસિદ્ધિદાયક શ્રીગણેશયંત્ર પૂજાનો મહિમા છે. આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ સ્થિર સ્વભાવનાં, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અસ્થિરમનનાં, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ આંખોની કાલજી લેવી જરૂરી. ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ. ચંદ્ર-ચિત્રા યુતિ.ગ્રહ ગોચર: સૂર્ય-મકર, માર્ગી મંગળ-વૃષભ, વક્રી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-મકર, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.