દ કેરલા સ્ટોરી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. અનેક વિવાદો બાદ પણ ફિલ્મ 100 કરોડના ક્લબમાં આવી ગઇ છે. ત્યારે ફિલ્મની મુખ્ય અભિનેત્રી અદા શર્મા અને દિગ્દર્શક સુદિપ્તો સેન 14મી મેના રોજ એક હિન્દુ યાત્રામાં સામેલ થવા કરીમનગર જઇ રહ્યાં હતા ત્યારે રસ્તામાં તેમનો અકસ્માત થયો હતો. જોકે આ અકસ્માતમાં બંનેને કોઇ ઇજા થઇ નથી તેવી જાણકારી અદા શર્માએ જાતે ટ્વીટ કરી આપી હતી. વિવાદોમાં રહેલ દ કેરલા સ્ટોરીની અભિનેત્રી અને દિગ્દર્શકને આમ અકસ્માત નડતાં આ અકસ્માત છે કે કાવતરું તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરુ થઇ ગયો છે.
અદા શર્માએ જાતે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સને તેમના આરોગ્ય બાબતે જાણકારી આપી હતી. તેણે ટ્વીટ કરતાં લખ્યું કે મિત્રો હું ઠીક છું. અમારા અકસ્માત બાબતે અનેક સમાચારો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે. પણ મારી સાથે અમારા ટીમના બધાજ લોકો સહીસલામત છે. કોઇને પણ ગંભીર ઇજા થઇ નથી. મારી કાળજી કરવા બદ્દલ હું આપ સૌની આભારી છું.
I’m fine guys . Getting a lot of messages because of the news circulating about our accident. The whole team ,all of us are fine, nothing serious , nothing major but thank you for the concern ❤️❤️
— Adah Sharma (@adah_sharma) May 14, 2023
આ અંગે સુદિપ્તો સેને પણ ટ્વીટ કર્યુ હતું. સુદિપ્તોએ ટ્વીટ કરી જણાવ્યું કે, આજે અમે કરીમનગરની એક યાત્રામાં અમારી ફિલ્મના પ્રમોશન માટે જઇ રહ્યાં હતાં. જોકે એક ઇમરજન્સી હેલ્થ ઇશ્યુને કારણે અમે કરીમનગર આવી શકતાં નથી. હું કરીમનગરની જનતાની મનથી માફી માંગુ છું. આપડી છોકરીઓને બચાવવા માટે અમે આ ફિલ્મ બનાવી છે. અમને તમારા સાથની જરુર છે.
Today we’re supposed to visit Karimnagar to talk about our film at a youth gathering. Unfortunately we could not travel due some emergency health issue. Heartfelt apology to the people of Karimnagar. We made the film to save our daughters. Pls keep supporting us #HinduEkthaYatra pic.twitter.com/LUr2UtQWfj
— Sudipto SEN (@sudiptoSENtlm) May 14, 2023
ત્યારે ફિલ્મની ટીમને થયેલ અકસ્માત કાવતરું તો નથી ને એવી ચર્ચાઓએ માત્ર રાજકીય વર્તુળો નહીં પણ ફિલ્મના ચાહકોમાં પણ વેગ પકડ્યો છે.