ટોપ ન્યૂઝનેશનલ

સિંહને પાંજરામાં ફસાવીને માર્યો’ મુખ્તાર અન્સારીના મોત પર યુપી પોલીસ કોન્સ્ટેબલનું વિવાદીત સ્ટેટસ,સસ્પેન્શનનો આદેશ જારી

લખનઊઃ પૂર્વાંચલના માફિયા ડોન મુખ્તાર અંસારીના મોતને લઈને રાજ્યમાં તેના સમર્થકોમાં હજુ પણ નારાજગી છે. તેના જનાજામાં પણ હજારો લોકોની ભીડ ઉમટી હતી. હજારો પોલીસકર્મીઓ તૈનાત રાખવામાં આવ્યા હતા અને ડ્રોન વડે લોકો પર નજર પણ રાખવામાં આવી રહી હતી, તેથી બધું શાંતિપૂર્ણ રીતે પાર પડ્યું હતું.

પોલીસે સંવેદનશીલ જગ્યાએ ધારા 144 પણ લગાવી હતી. જોકે, હજી પણ લોકો તેને લગતા વીડિયો સતત શેર કરી રહ્યા છે. વાતાવરણ કોઈપણ રીતે બગડે નહીં તે માટે પોલીસે સોશિયલ મીડિયા પર કોઈપણ વાંધાજનક પોસ્ટ શેર કરવા સામે ચેતવણી આપી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસના એક કોન્સ્ટેબલે જ તેના વોટ્સએપ પર વાંધાજનક પોસ્ટ મૂકી હતી અને ડોન અન્સારીને સિંહ ગણાવ્યો હતો. યુપી પોલીસના આ કોન્સ્ટેબલની મુખ્તાર અન્સારી સંબંધિત વાંધાજનક પોસ્ટ બાદ તેની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ વિભાગે કોન્સ્ટેબલ મોહમ્મદ ફૈયાઝને સસ્પેન્ડ કરવા માટે ચૂંટણી પંચ પાસે પરવાનગી માંગી છે.

લખનઊના BKT પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરાયેલા કોન્સ્ટેબલ મોહમ્મદ ફૈયાઝે વોટ્સએપ પર સ્ટેટસ પોસ્ટ કર્યું હતું. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે- સિંહને પાંજરામાં મૂકીને કપટથી માર્યો. હવે કોન્સ્ટેબલ મોહમ્મદ ફૈયાઝને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey