નેશનલ

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ટ્રક પુલ નીચે પડતાં 4ના મોત

શ્રીનગર: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેના ઝજ્જર કોટલી વિસ્તારમાં એક ટ્રક પુલ નીચે પડી જતાં તેમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પોલીસે ચારેયના મૃતદેહને જીએમસી હોસ્પિટલમાં રાખ્યા છે. જ્યાં તેમની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માર્યા ગયેલાઓમાં ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, ટ્રક શ્રીનગરથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત ઝજ્જર કોટલી વિસ્તારમાં ઝજ્જર બ્રિજ પર થયો હતો.

કાશ્મીરથી જમ્મુ તરફ સફરજન લઈને આવી રહેલી ટ્રક પહેલા ઝજ્જર પુલ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ ટ્રક લગભગ 80 ફૂટ નીચે નાળામાં પડી ગઈ હતી.

ટ્રક સફરજનથી ભરેલી હોવાથી તે વધુ દબાણ સહન કરી શકી ન હતી અને ટ્રક સંપૂર્ણપણે નાશ પામી હતી. જ્યાં આ અકસ્માત થયો તે જમ્મુ શ્રીનગરનો જૂનો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે જેનો આજકાલ ભાગ્યે જ લોકો ઉપયોગ કરે છે. સ્થળ પરથી પસાર થતા અન્ય કેટલાક વાહન ચાલકોએ અકસ્માત અંગે ઝજ્જર કોટલી પોલીસને જાણ કરી હતી, જે બાદ ઝજ્જર કોટલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…