નેશનલ

ઇઝરાયલના સંગીત ઉત્સવમાં આતંકવાદીઓએ ૨૬૦ને માર્યા

જેરુસલેમ: ઇઝરાયેલનાં સંગીત ઉત્સવમાં આતંકવાદીઓએ ઓછામાં ઓછા ૨૬૦ને માર્યા અને ઘણાને અપહરણ કર્યા હોવાની માહિતી પ્રત્યક્ષદર્શી બચી ગયેલા લોકો પાસેથી જાણવા મળી હતી.
એ દિવસે ગાઝા સરહદ નજીક ઇઝરાયેલના વિશાળ મેદાનમાં હજારો યુવક-યુવતીઓ નૃત્ય કરવા માટે ભેગા થયા હતા.

નોવા મ્યુઝિક ફેસ્ટિવલની ઓપન-એર ટ્રાઈબ ઈઝરાયલના ઈતિહાસમાં દેશના ઈતિહાસમાં સૌથી ખરાબ સામૂહિક નાગરિક હત્યાકાંડ તરીકે કાળા અક્ષરે લખાશે, જેમાં ઓછામાં ઓછા ૨૬૦ લોકો માર્યા ગયા હતા અને હજુ પણ અનિશ્ર્ચિત સંખ્યાને બંધક બનાવવામાં આવ્યા છે.

ગાઝાથી ઇઝરાયલની ભારે કિલ્લેેબંધીવાળી અલગતા વાડમાંથી દાખલ થયેલા ડઝનેક હમાસના આતંકવાદીઓએ લગભગ ૩૫૦૦ યુવાન ઇઝરાયલીઓ પર ગોળીબાર કર્યો હતો જેઓ સુકોટની યહૂદી રજાની ઉજવણી કરવા ઇલેક્ટ્રોનિક સંગીતની આનંદી રાત માટે ભેગા થયા હતા. કેટલાક લોકો દારુના નશામાં હતા અથવા વધુ પડતા ડ્રગ્સ પીતા હતા.

એસોસિએટેડ પ્રેસે હત્યાકાંડ દરમિયાન લેવામાં આવેલા ડઝનથી વધુ વીડિયોની સમીક્ષા કરી હતી અને જીવલેણ હુમલો કેવી રીતે કરાયો એ જાણવા માટે બચી ગયેલા લોકોની મુલાકાત લીધી હતી. ગાઝાને દક્ષિણ ઇઝરાયેલથી અલગ કરતી દિવાલથી લગભગ ૫.૩ કિલોમીટર દૂર કિબુત્ઝ રીઇમની બહાર ધૂળવાળા મેદાનમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉત્સવમાં ભાગ લેનારાઓએ કહ્યું કે, જ્યારે રોકેટનો વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે આતંકવાદીઓએ ઉત્સવના સ્થળે લોકો પર ગોળીબાર કર્યો હતો
ઘણા આતંકવાદીઓ, જેઓ ટ્રક અને મોટરસાયકલ પર આવ્યા હતા, તેઓએ શરીર પર બખ્તર પહેર્યા હતા અને એકે-૪૭ એસોલ્ટ રાઇફલ્સ અને રોકેટ-સંચાલિત ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
ઇઝરાયેલના પ્રથમ પ્રતિસાદકર્તાઓ દ્વારા સંકલિત કરવામાં આવેલા અને સોશિયલ મીડિયા સાઇટ ટેલિગ્રામ પર પોસ્ટ કરાયેલા વીડિયોઝ બતાવે છે કે સશસ્ત્ર માણસો ભયભીત ભીડમાં ઘૂસીને ભાગી રહેલા પીડિતો પર ગોળીબાર કરતા હતા.

હમાસના બંદૂકધારીઓએ ડઝનેક પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનું અપહરણ કર્યું હતું – જેમાં વૃદ્ધો અને અપંગ લોકોનો સમાવેશ થાય છે – અને શનિવારના આશ્ર્ચર્યજનક હુમલામાં અન્ય ઘણા લોકોની હત્યા કરવામાં આવી હતી.

બચાવ ટુકડીઓએ વિસ્તારને સાફ કરવાનું ચાલુ રાખતા મૃત્યુઆંક વધી શકે છે.

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે બંદૂકધારીઓએ જમીન પર પડેલા કેટલાક ઘાયલોને પોઈન્ટ-બ્લેન્ક રેન્જમાં માર્યા હતા. કેટલાક આતંકવાદીઓએ તો તેમના પીડિતોના વાહનોમાંથી પર્સ અને બેકપેક છીનવી લીધા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઉનાળામાં પરસેવાને કારણે આવે છે શૂઝમાંથી દુર્ગંધ? Date of First Solar Eclipse and Its effects on these Zodiac Signs Tennis Star Djokovic Teases New Coach Announcement Bollywood actresses who fell in love with cricketers