SP Splits from MVA, Aaditya Calls Them BJP's Ally
આમચી મુંબઈમહારાષ્ટ્ર

સપાએ એમવીએ સાથે છેડો ફાડ્યો; તો આદિત્ય ઠાકરેએ કહ્યું સપા તો ભાજપની બી ટીમ છે…

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ ગઠબંધનના કારમા પરાજયે ગઠબંધનના ઘટક પક્ષોની એકતા કેટલી તકલાદી હતી તેના દર્શન કરાવ્યા છે. તાજેતરમાં મહાવિકાસ ગઠબંધન, શિવસેના (યુબીટી) અને સમાજવાદી પાર્ટીના બે પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા મિલિંદ નાર્વેકરે સોશિયલ મીડિયા હેન્ડલ પર બાબરી મસ્જિદના ધ્વંસ પર લોકોને અભિનંદન આપતી પોસ્ટ કર્યા પછી, સપાએ ગઠબંધન છોડવાનો નિર્ણય કર્યો. આ પછી હવે આદિત્ય ઠાકરેએ પાર્ટી પર વળતો પ્રહાર કર્યો છે અને સપાને ભાજપની બી ટીમ ગણાવી છે.

આ પણ વાંચો : ઇવીએમ પર શંકા હોય તો ચૂંટણી પંચનો સંપર્ક કરો: અજિત પવાર…

આદિત્ય ઠાકરેએ કહ્યું, હું સપા વિશે વાત કરવા નથી માંગતો, રાજ્યમાં સપાના નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, અખિલેશ યાદવ તેમની લડાઈ લડી રહ્યા છે, પરંતુ તેમના કેટલાક નેતાઓ અહીં ભાજપને મદદ કરે છે, તેમની બી ટીમ તરીકે કામ કરે છે અને અમે તેને આ ચૂંટણીઓમાં જોઈ રહ્યા છીએ, હું તેના વિશે વધુ વાત નહીં કરું. બાબરી મસ્જિદ પર શિવસેનાના નેતાના ટ્વીટને લઈને આદિત્ય ઠાકરેએ કહ્યું કે, ગઈકાલની ટ્વીટ એવી હતી જે અમે પહેલા પણ કરતા આવ્યા છીએ. અમારું હિન્દુત્વ સ્પષ્ટ છે, અમે ક્યારેય હિન્દુત્વ છોડ્યું નથી, અમે હિન્દુત્વ સાથે છીએ.

અમારું હિન્દુત્વ હૃદયમાં રામ અને હાથમાં કામ વાળું હિન્દુત્વ છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપે સબકા સાથ સબકા વિકાસ કહ્યું હતું પરંતુ વાસ્તવમાં અમે સબકા સાથ સબકા વિકાસ કરીએ છીએ.

આ પણ વાંચો : MVA ના વિધાનસભ્યો શપથ નહીં લે! આદિત્ય ઠાકરેએ ફરી EVM પર સવાલ ઉઠાવ્યા…

શિવસેનાના યુબીટી નેતાના ટ્વીટ બાદ મહારાષ્ટ્રના સપાના વડા અબુ આઝમીએ કહ્યું હતું કે, શિવસેનાએ બાબરી મસ્જિદ તોડી પાડવા બદલ લોકોને અભિનંદન આપતી જાહેરાત અખબારમાં આપી હતી. ઉદ્ધવ ઠાકરેના સહયોગીએ પણ એક્સ પર મસ્જિદ તોડી પાડવાના વખાણ કર્યા હતા. આ જ કારણ છે કે સમાજવાદી પાર્ટી એમવીએ છોડી રહી છે. સપાના વડા અબુ આઝમીએ કહ્યું કે આવી ભાષા બોલનારા અને ભાજપમાં કોઈ ફરક નથી.

Back to top button