આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં રવિવારે બ્લોક અને મધ્ય રેલવેમાં બે દિવસનો રાત્રિકાલીન બ્લોક

મુંબઈ: પશ્ચિમ રેલવે દ્વારા સિગ્નલ સિસ્ટમ, રેલવે ટ્રેક અને ઓવર હેડ વાયરની જાળવણી તેમ જ સમારકામ કરવા માટે રવિવારે વિશેષ બ્લોક લેવામાં આવવાનો છે. જોકે મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીક માળખાકીય કામકાજ માટે બે દિવસ રાત્રિકાલીન બ્લોક લેવામાં આવતા રવિવારે સવારે મધ્ય રેલવેમાં કોઈપણ બ્લોક નહીં રાખવાનો પ્રશાસને નિર્ણય લીધો છે. જેથી રવિવારે મધ્ય અને હાર્બર લાઇનમાં રવિવારે દિવસ દરમિયાન કોઈપણ બ્લોક લેવામાં આવવાનો નથી.

પશ્ચિમ રેલવેમાં રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી બોરીવલીથી ગોરેગામ દરમિયાન અપ અને ડાઉન સ્લો લાઇનમાં બ્લોક લેવામાં આવવાનો છે, જેને લીધે માર્ગની અમુક ટ્રેનો બ્લોકના સમયમાં બંધ રાખવામાં આવી છે. તેમ જ અંધેરી અને બોરીવલી લોકલ ટ્રેનોને ગોરેગામ દરમિયાન હાર્બર લાઇનના ટ્રેક પર દોડાવવામાં આવશે. બ્લોક દરમિયાન બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક, બે, ત્રણ અને ચાર પરથી કોઈપણ લોકલ ટ્રેન સેવા ઉલપબ્ધ રહેશે નહીં, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…