આમચી મુંબઈ

‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન’ યોજના માટે ₹૧,૦૦૦ કરોડની જોગવાઈ

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની તમામ હૉસ્પિટલોમાં મ્યુનિસિપલ વહીવટીતંત્રે ‘શૂન્ય દવા ચિઠ્ઠી યોજના’ (ઝીરો પ્રિસ્ક્રિપ્શન) લાગુ કરવાનો નિર્ણય લીધો હોવાથી, દર્દીઓએ બહારથી કોઈ દવા ખરીદવાની જરૂર રહેશે નહીં. આ હેતુ માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહેલે આ અંગેની દરખાસ્તને મંજૂરી આપી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તાજેતરમાં મુંબઈ મહાનગરપાલિકાની આરોગ્ય પ્રણાલીની સમીક્ષા કર્યા પછી ઝીરો પ્રિસ્ક્રિપ્શન યોજના લાગુ કરવાનો આદેશ આપ્યો હતો, જેથી મ્યુનિસિપલ હૉસ્પિટલોમાં આવતા દર્દીઓને બહારથી દવાઓ ખરીદવી ન પડે.

તદ્નુસાર, આરોગ્યકમિશનરે સંબંધિત સત્તાવાળાઓ અને અધિકારીઓ સાથે હૉસ્પિટલોમાં દવાઓની ખરીદીની સમીક્ષા કરી હતી. પાલિકાની તમામ મોટી હૉસ્પિટલો માટે વાર્ષિક આશરે રૂ. ૬૦૦ કરોડની દવાઓની ખરીદી કરવામાં આવે છે. ઘણીવાર સારવાર કરતા તબીબો દર્દીઓના સગાઓને બહારથી દવાઓ લાવવાનું કહે છે. દર્દીઓને કોઈ પણ સંજોગોમાં દવાખાનાની બહારથી દવા ખરીદવી ન પડે તે માટે અધિક કમિશનરે રૂ.૧,૦૦૦ કરોડની વધારાની દવાઓ ખરીદવાની દરખાસ્ત કમિશનર ઈકબાલ સિંહ ચહલને મોકલી આપી હતી. કમિશનરે તેને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં રૂ. ૧,૦૦૦ કરોડની વધારાની દવા ખરીદવામાં આવશે, એમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. આ યોજનાને ૧૫ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. મહાનગરપાલિકાની તમામ મોટી મેડિકલ કોલેજો અને સંલગ્ન હૉસ્પિટલોમાં કુલ ૭,૧૦૦ બેડ સાથે ઓપીડીમાં વાર્ષિક ૬૮ લાખ ૨૧ હજાર દર્દીઓની સારવાર કરવામાં આવે છે. મતલબ કે આ તમામ કોલેજોમાં દરરોજ સરેરાશ ૨૧,૩૦૦ દર્દીઓને ઓપીડીમાં સારવાર આપવામાં આવે છે. આ સિવાય લાખો દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવે છે, ઉપરાંત દર વર્ષે લગભગ અઢી લાખ સર્જરી પણ કરવામાં આવે છે. પાલિકાની તેમજ ઉપનગરીય હૉસ્પિટલો માટે વાર્ષિક ૬૦૦ કરોડની દવાઓની ખરીદી કરવામાં આવી રહી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral