આમચી મુંબઈ

મહારેરાએ રજિસ્ટ્રેશન વિના પ્લોટ વેંચનારા બિલ્ડરોને ફટકારી નોટિસ

મુંબઈ: મહારેરામાં રજિસ્ટ્રેશન કરાવ્યા વિના પ્લોટ વેંચનારા ડેવલપરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એવી ચેતવણી પ્રશાસને આપી છે. રાજ્યમાં અનેક ઠેકાણે મોટી મોટી જમીનોના ભાગ પાડીને તેમ જ જાહેરાત આપ્યા વિના મહારેરા અંતર્ગત રજિસ્ટર્ડ જમીનો વેંચવામાં આવી રહી છે.

આ ગંભીર મામલાની આપમેળે નોંધ લઇ મહારેરાએ રાજ્યના ૪૧ પ્રમોટરોને કારણદર્શક(શૉ-કોઝ) નોટીસ ફટકારી છે. આ પ્રમોટરો મહારેરા રજિસ્ટ્રેશન નંબર વિના જ વ્યવહાર કરી રહ્યા હતા. આ પ્રમોટરોમાંના ૨૧ પુણેમાંં, ૧૩ કોંકણમાં અને ૭ નાગપુરમાં આવેલા છે.

૨૦૧૬ની રિયલ એસ્ટેટ એક્ટની કલમ ત્રણ મુજબ શરતોને આધીન કોઇ પ્લોટ, ફ્લેટ કે ભવનના વેચાણ માટે મહારેરાનું રજિસ્ટ્રેશન જરૂરી છે. આ સિવાય કોઇ પ્લોટ, ફ્લેટ કે બિલ્ડિંગના વેચાણ માટે જાહેરાત આપી શકાય નહીં.

અનેક શરતોની અમલબજાવણી થશે
*આર્થિક, કાયદાકીય અને ટેક્નિકલ શરતોના આધારે ત્રણ સ્તરે તપાસ
*પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે સ્થાનિક સરકારી સંસ્થા પાસેથી મંજૂરીનો પત્ર
*ગૈર-કૃષિ(નોન-એગ્રિકલ્ચરલ) વિનાના પ્રોેજેક્ટની માલિકી, જમીનનો આકાર, કુલ ક્ષેત્રફળ અને જમીનની સીમાઓની તપાસ સ્થાનિક સરકારી સંસ્થા કરશે
*પ્રોજેક્ટમાં પાણી પુરવઠાની વ્યવસ્થા, રસ્તા, સીવરેજ જેવી સુવિધા જરૂરી
*આ તમામ પાસાઓની ચકાસણી પછી મહારેરાનું રજિસ્ટ્રેશન શક્ય

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઉનાળામાં પરસેવાને કારણે આવે છે શૂઝમાંથી દુર્ગંધ? Date of First Solar Eclipse and Its effects on these Zodiac Signs Tennis Star Djokovic Teases New Coach Announcement Bollywood actresses who fell in love with cricketers