ભોપાલઃ મહાભારતમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવનાર નીતિશ ભારદ્વાજે (Nitish Bhardwaj)તેમની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. જેમાં તેણે કહ્યું છે કે કોર્ટની પરવાનગી બાદ પણ તેમની પત્ની સ્મિતા તેમને દીકરીઓને મળવા નતી દેતાં અને બંને દીકરીઓ ક્યાં છે અને કઈ હાલતમાં છે તેની તેમને કોઈ માહિતી નથી.
ખૂબ જ લોકપ્રિય સીરિયલ મહાભારત (Mahabharat)માં ભગવાન કૃષ્ણ નો રોલ કરનાર એક્ટર નીતિશ ભારદ્વાજ પોતાની પત્નીથી વર્ષોથી અલગ રહે છે. પરંતુ હવે નીતિશ ભારદ્વાજ અને તેમની એડિશનલ ચીફ સેક્રેટરી પત્ની સ્મિતા ભારદ્વાજ (Smita Bhardwaj)વચ્ચેનો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
નીતિશ ભારદ્વાજનો આરોપ છે કે તેમની પત્ની સ્મિતા ભારદ્વાજ તેમને તેમની પુત્રીઓને મળવા દેતા નથી. ભારદ્વાજે આ અંગે ભોપાલ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. જેની તપાસ એડીસીપી ઝોન-3 શાલિની દીક્ષિતને સોંપવામાં આવી છે. હાઈપ્રોફાઈલ કેસ હોવાને કારણે પોલીસ કંઈ પણ બોલવા તૈયાર નથી, પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ અભિનેતા નીતીશ ભારદ્વાજ ભોપાલ પોલીસ કમિશનર હરિનારાયણચારી મિશ્રાની ઓફિસે પહોંચ્યા હતા અને તેમની પત્ની સ્મિતા ભારદ્વાજ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીતીશે કહ્યું કે સ્મિતાએ ચાર વર્ષથી તેમની બંને દીકરીઓને મળવા દીધી નથી. તેમણે આરોપ લગાવ્યો કે સ્મિતાએ પહેલા ભોપાલ અને હવે ઉટીની બોર્ડિંગ સ્કૂલમાંથી તેની દીકરીઓનું એડમિશન કેન્સલ કર્યું અને તેમને બીજે ક્યાંક ભણવા મોકલી છે.
ભારદ્વાજે પોતાની ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે કોર્ટે તેમને તેમની પુત્રીઓને મળવાની પરવાનગી આપ્યા બાદ પણ સ્મિતા તેમને તેમની બંને પુત્રીઓને મળવાની પરવાનગી આપી રહી નથી. બંને દીકરીઓ અત્યારે ક્યાં છે અને તેમની શું હાલત છે તે વિશે સ્મિતા કંઈ કહી રહી નથી. નીતિશે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે IAS સ્મિતા ભારદ્વાજ તેમની બંને દીકરીઓને તેમની વિરુદ્ધ ભડકાવે છે.
વાસ્તવમાં, મુંબઈ ફેમિલી કોર્ટે નીતિશ ભારદ્વાજને તેમની બંને પુત્રીઓને મળવાનો આદેશ આપ્યો છે. હાલમાં બંને દીકરીઓ સ્મિતા ભારદ્વાજ સાથે રહે છે. સ્મિતા ભારદ્વાજ એમપી કેડરની 1992 બેચની IAS અધિકારી છે અને હાલમાં તેઓ રમતગમત અને યુવા કલ્યાણ વિભાગ અને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્ત છે.
સ્મિતા ભારદ્વાજ 1992 બેચની IAS ઓફિસર છે. તેમણે વર્ષ 2009માં નીતિશ ભારદ્વાજ સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરીઓ છે અને તેઓ અભ્યાસ કરે છે. 2019માં મુંબઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે હવે દીકરીઓને મળવા મામલે પિતા નીતીશે પોલીસની મદદ માગી છે.
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે
Koi Hai Alu, Chichi Toh Chirkoot, Celebs are called by this name at home by family members...