નેશનલ

ધર્મ પરિવર્તનના મામલે ગુસ્સે ભરાયો હરભજન સિંહ

પૂર્વ પાકિસ્તાની કેપ્ટનને લગાવી ફટકાર, કહ્યું- ભારતીય હોવાનો ગર્વ…

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર ​​હરભજન સિંહના ગુસ્સાથી બધા વાકેફ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન તેના સાથી ખેલાડી શ્રીસંતને મારેલી થપ્પડ ઘણા સમયથી ચર્ચામાં હતી. હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકના વાયરલ વીડિયોને કારણે હરભજન સિંહે ગુસ્સે ભરાયો છે. સોશિયલ મીડિયા પર આવો વીડિયો શેર કરવા બદલ તેણે ઈન્ઝમામ ઉલ હકની આકરી ટીકા પણ કરી છે.

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર ​​હરભજન સિંહે નિવૃત્તિ બાદ કોમેન્ટ્રીનો માર્ગ અપનાવ્યો અને ચાહકોને પણ તેની સ્ટાઈલ પસંદ આવી છે. ખુલ્લેઆમ પોતાની લાગણીઓ વ્યક્ત કરનાર આ અનુભવી ક્રિકેટરે 14 નવેમ્બર મંગળવારના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો પર ટિપ્પણી કરીને સનસનાટી મચાવી દીધી હતી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકના વાયરલ વીડિયોને કારણે હરભજન સિંહે ગુસ્સે ભરાયો છે. સોશિયલ મીડિયા પર આવો વીડિયો શેર કરવા બદલ તેણે ઈન્ઝમામ ઉલ હકની આકરી ટીકા પણ કરી છે. તેણે આ પોસ્ટ કરનાર વ્યક્તિ અને મેનેજર બંનેની ટીકા કરી છે.

હરભજન સિંહે પૂર્વ પાકિસ્તાની કેપ્ટનને સૂચના આપી હતી કે જ્યારે તે ધર્મ પરિવર્તન વિશએ વિરુદ્ધ બોલે ત્યારે સંભાળીને બોલે. હરભજન સિંહે લખ્યું, તે કયા પ્રભાવ હેઠળ વાત કરી રહ્યા છે? મને ભારતીય હોવાનો ગર્વ છે અને શીખ હોવાનો પણ ગર્વ છે. આ નર્યો બકવાસ છે.

જે વીડિયો પર હરભજન સિંહે કમેન્ટ કરી છે તેમાં ઈન્ઝમામ ઉલ હક ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ વિશે વાત કરી રહ્યો છે. વીડિયોમાં તેણેજણાવ્યું છે કે કેટલાક ભારતીય ખેલાડીઓ તેમના મૌલાનાની વાતો સાંભળવા જાય છે. તેણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં ખેલાડીઓએ નમાઝ માટે અભ્યાસ માટે અલગ રૂમ બનાવ્યો હતો, જ્યાં ઈરફાન પઠાણ, મોહમ્મદ કૈફ અને ઝહીર ખાન સાથે કેટલાક ભારતીય ખેલાડીઓ પણ જતા હતા. તેઓ નમાઝને પઢતા ન હતા પરંતુ મૌલાનાને સાંભળતા હતા. કેટલાક ક્રિકેટરો તો તેમના શબ્દોથી એટલા પ્રભાવિત થયા કે તેઓ પણ તેમના જેવા બનવા માંગતા હતા. હરભજન સિંહે તેને સંપૂર્ણ બકવાસ ગણાવ્યો અને ઇન્ઝમામને હોશમાં બોલવા માટે સૂચના આપી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure