નેશનલ

એમએસપી માટે વટહુકમ લાવવાની ખેડૂત નેતાની માગ

ચંડીગઢ: ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે શનિવારે માગ કરી હતી કે કેન્દ્રએ એમએસપીને કાયદેસર ગેરંટી આપવા અંગે વટહુકમ લાવવો જોઈએ, જે હાલમાં શંભુ અને પંજાબ-હરિયાણા સરહદના ખનૌરી પોઈન્ટ પર કેમ્પ કરી રહેલા ખેડૂતોની મુખ્ય માગ છે.

ખેડૂતોના નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો વચ્ચે તેમની વિવિધ માગણીઓ પર ચોથા રાઉન્ડની વાતચીતના એક દિવસ પહેલા આ માગ કરવામાં આવી હતી.

પંઢેરે શંભુ સરહદ પર પત્રકારોને જણાવ્યું હતું કે “જો તે (કેન્દ્ર) ઇચ્છે તો રાતોરાત વટહુકમ લાવી શકે છે. જો સરકાર ખેડૂતોના વિરોધનો ઠરાવ ઇચ્છતી હોય, તો તેણે તાત્કાલિક અસરથી વટહુકમ લાવવો જોઈએ કે તે આ અંગે કાયદો ઘડે પછી ચર્ચાઓ આગળ વધી શકે છે.

જ્યાં સુધી પદ્ધતિઓનો સંબંધ છે, પંઢેરે કહ્યું કે કોઈપણ વટહુકમ છ મહિનાની માન્યતા ધરાવે છે.

ખેત દેવા માફીના મુદ્દે પંઢેરે કહ્યું કે સરકાર કહી રહી છે કે લોનની રકમનું મૂલ્યાંકન કરવું પડશે. સરકાર આ સંબંધમાં બૅન્કો પાસેથી ડેટા એકત્રિત કરી શકે છે. તે ઇચ્છાશક્તિનો પ્રશ્ર્ન છે.
કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય અને ખેડૂત નેતાઓ ચોથા રાઉન્ડની વાટાઘાટો માટે રવિવારે મળશે. બંને પક્ષો અગાઉ ૮, ૧૨ અને ૧૫ ફેબ્રુઆરીએ મળ્યા હતા પરંતુ તે વાટાઘાટો અનિર્ણિત રહી હતી. તેમની “દિલ્હી ચલો કૂચના પાંચમા દિવસે ખેડૂતો પંજાબ અને હરિયાણાના બે સરહદી બિંદુઓ પર રોકાયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral