આપણું ગુજરાત

દાહોદ આણંદ મેમૂ ટ્રેનમાં લાગી આગ

સદનસીબે જાનહાનિ નહીં

ગુજરાતના દાહોદમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ આણંદ 9350 મેમુ ટ્રેનના એન્જિનમાં જેકોટ રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ટ્રેનના એન્જિનમાં લાગેલી આગની આગ બે બોગીમાં ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સદનસીબે છેલ્લા ડબ્બામાં આગ લાગવાના કારણે બાકીના ડબ્બાઓનો આબાદ બચાવ થયો હતો અને ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ મેમુ ટ્રેન દાહોદથી ગોધરા તરફ જઈ રહી હતી.

મળતી માહિતી મુજબ મેમુ ટ્રેન નંબર 09350 સવારે 11.38 વાગ્યે મુસાફરોથી ભરેલી દાહોદથી 10 કિમી દૂર જેકોટ પહોંચી હતી . જેકોટ રેલ્વે સ્ટેશન પર ટ્રેન મુસાફરોને ઉતારી રહી હતી ત્યારે અચાનક મેમુ ટ્રેનના એન્જિનને અડીને આવેલા પાછળના ડબ્બામાં નાસભાગ મચી ગઈ હતી. જોયું તો એન્જિનની બાજુમાં આવેલા એસી કોચમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. રેલવે ડિવિઝનના અધિકારીઓને માહિતી મળતા જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દાહોદ ફાયર વિભાગને જાણ કરી તેમને બોલાવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.


આગના સમાચાર મળતા જ દાહોદના એએસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કલાકોની જહેમત બાદ આખરે આગ કાબૂમાં આવતાં ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…