ટોપ ન્યૂઝનેશનલ

લખનઉમાં કોરોનાની એન્ટ્રી, ભારતમાં નવા કોરોનાના કેસ આટલા નોંધાયા

લખનઉ: 21 ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક વૃદ્ધ મહિલાની તબિયત બગડવાને કારણે તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ગાઝિયાબાદ અને નોઈડા બાદ હવે રાજધાની લખનઉમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. કોરોનાથી સંક્રમિત આ મહિલા થાઈલેન્ડથી પરત આવી હતી. જેના કારણે હવે લખનઉમાં પણ કોરોના દાખલ થયો છે. મહિલાને તેના ઘરે આઈસોલેશનમાં રાખવામાં આવી છે. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે, જેને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. તેમજ આરોગ્ય વિભાગ હવે સતર્ક થઈ ગયો છે અને દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે. નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધી નવા કોરોનાના 594 કેસ નોંધાયા છે.

જે મહિલા કોરોના પોઝિટિવ મળી છે તે લખનઉના આલમબાગની રહેવાસી છે. લખનઉ ઉપરાંત નોઈડામાં પણ એક કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યો છે. કોરોના પોઝિટીવ આવેલો તે વ્યક્તિ પણ લગભગ એક અઠવાડિયા પહેલા નેપાળથી પાછો ફર્યો હતો. જ્યારે તેની તબિયત વધારે ખરાબ થવાના કારણે તેની તપાસ કરવામાં આવી ત્યારે કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. વ્યક્તિને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે.


આ ઉપરાંત ગાઝિયાબાદના વિજયનગરમાં રહેતો 36 વર્ષીય યુવક પણ કોરોના સંક્રમિત થયો હતો. ગાઝિયાબાદ આરોગ્ય વિભાગ કોવિડ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં અને તપાસ કરવામાં આવી રહી છે. વિભાગે સેમ્પલ લઈને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી આપ્યા છે.


રાજ્યના આરોગ્ય અને તબીબી વિભાગે ગુરુવારે કોરોના કેસોને લઈને એડવાઈઝરી જારી કરી હતી. એવું કહેવાય છે કે જો હળવી શરદી, ઉધરસ, તાવ, શરદી અને ગળાની સમસ્યા હોય તો અસરગ્રસ્ત દર્દીએ સમયસર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો ચેપના લક્ષણો દેખાય છે, તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની સલાહ મુજબ COVID-19 માટે સમયસર પરીક્ષણ અને સારવાર કરાવવી જોઈએ.


આરોગ્ય પ્રધાન બ્રજેશ પાઠકે કોરોનાના વધતા જતા કેસોને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે કોરોનાના નવા પ્રકારોને લઈને ગભરાવાની જરૂર નથી. ઉત્તર પ્રદેશ તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ સંપૂર્ણ તૈયાર છે. રાજ્યમાં મોટા પાયે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં ગભરાવાની જરૂર નથી, તેમણે કહ્યું કે કોરોના સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. આ કોરોનાનું વેરિઅન્ટ નથી, પણ પેટા વેરિઅન્ટ છે.


નોંધનીય છે કે ભારતમાં 21 ડિસેમ્બર રાત સુધીમાં કુલ 594 નવા કોવિડ -19ના કેસ નોંધાયા છે જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસોની સંખ્યા અગાઉના દિવસે 2,311 થી વધીને 2,669 થઈ ગઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…